ભારતનું બંધારણ : રાજ્ય પુનગર્ઠન આયોગ

દેશી રજવાડાંઓનું એકીકરણ તથા ભારતમાં વિલય

બ્રિટિશ શાસનકાળમાં સંપૂર્ણ ભારત મુખ્યત્વે બે પ્રકારના વહીવટી ક્ષેત્રમાં વહેંચાયેલું હતું :

(1) બ્રિટિશ શાસિત ભારત જેમાં 9 જેટલા પ્રાંત હતા.

(2) આઝાદી સમયે લગભગ 562 જેટલા દેશી રજવાડાં હતાં.

  • આઝાદી પછી રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં “રજવાડી- મંત્રાલય"ની સ્થાપના કરવામાં આવી તથા વલ્લભભાઈ પટેલ દ્વારા કૂટનીતિ "પટેલ સ્કીમ” અપનાવવામાં આવી, જેમાં વી.પી. મેનન અને લૉર્ડ માઉન્ટબેટન દ્વારા પણ મોટો ફાળો આપવામાં આવ્યો.
  • આ કૂટનીતિના પરિણામ સ્વરૂપ ભાગલા પછી વધેલા 562 દેશી રજવાડાંમાંથી 559 ભારતમાં જોડાઈ ગયા, જ્યારે ત્રણ દેશી રજવાડાં હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીરે ભારતમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો.
  • એમાં હૈદરાબાદને પોલીસ પગલાં દ્વારા, જૂનાગઢને જનમત દ્વારા જ્યારે જમ્મુ-કાશ્મીરને વિલય પત્ર દ્વારા ભારતમાં મેળવી દેવામાં આવ્યા.
  • આ એક અસ્થાયી વ્યવસ્થા હતી. પછીથી દેશના વિભિન્ન ભાગોમાંથી ભાષાઆધારિત રાજ્યરચનાની માગણી ઊઠવા પામી જેના કારણે ભારત સરકાર દ્વારા અલગ-અલગ આયોગોની નિમણૂક થવા લાગી. 

ધર આયોગ (Dhar commission)

  • ભાષા આધારિત રાજ્યરચનાની વિચારણા માટે ભારત સરકારે જૂન, 1948માં એસ.કે. ધર (અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ)ની આગેવાનીમાં 4 સભ્યોવાળા ઘર આયોગની રચના કરી.
  • આયોગે ભાષાઆધારિત રાજ્યરચનાની જગ્યાએ વહીવટી સરળતાથી રાજ્ય રચના કરવાની સલાહ આપી.

જે.વી.પી. સમિતિ (J.V.P. committee)

  • લોકોની વધતી જતી ભાષાઆધારિત માંગના કારણે ડિસેમ્બર, 1948માં આ માટે અન્ય એક સમિતિ નીમવામાં આવી. એમાં J= જવાહરલાલ નહેરુ, V = વલ્લભભાઈ પટેલ, P = પટ્ટાભિ સીતારમૈયા હતા.
  • તેમના કારણે તે JVP સમિતિ કહેવાય. આ સમિતિએ પોતાનો રિપોર્ટ એપ્રિલ, 1949માં રજૂ કર્યો જેમાં તેમણે ભાષાઆધારિત રાજ્ય રચનાનો અસ્વીકાર કર્યો.
  • આ સમિતિના રિપોર્ટ પછી મદ્રાસ રાજ્યના તેલુગુભાષીઓ દ્વારા ગાંધીવાદી નેતા પોટ્ટી શ્રીરામુલુના નેતૃત્વમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું.
  • સતત 56 દિવસની ભૂખહડતાળના કારણે 1952માં પોટ્ટી શ્રીરામુલુનું મૃત્યુ થયું.
  • આથી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1 ઑક્ટોબર, 1953ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્ર પ્રદેશની રચના કરી.

ફઝલઅલી આયોગ(રાજ્ય પુનગર્ઠન આયોગ)

  • આંધ પ્રદેશના નિર્માણ પછી અન્ય ક્ષેત્રોમાંથી પણ ભાષાઆધારિત રાજ્યરચનાની માગણીઓ ઊઠવા લાગી.
  • આથી ભારત સરકારે ડિસેમ્બર, 1953માં ત્રણ સભ્યોવાળા એક આયોગની રચના કરી.
  • એના અધ્યક્ષ ફઝલઅલી હોવાથી તે ફઝલઅલી આયોગ પણ કહેવાયું. એમાં અન્ય બે સભ્યોમાં કે.એમ. પાણિકર તથા હૃદયનાથ કુંજરુ હતા.
  • ફઝલઅલી આયોગે 1955માં પોતાનો રિપોર્ટ આપ્યો જેનો મહદંશે સ્વીકાર કરવામાં આવ્યો.
  • ફઝલઅલી આયોગે રાજ્ય પુનર્ગઠન માટે નીચેની બાબતોમાં ધ્યાન રાખવાનું જણાવ્યું : 
  • રાજ્યોનું પુનર્ગઠન દેશની એકતા, સુરક્ષા, આર્થિક અને વહીવટી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તથા લોકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.
  • ભાષા અને સંસ્કૃતિના આધારે રાજ્ય પુનર્ગઠન.
  • ચાર વર્ગો (ક,ખ,ગ,ઘ / B.C.D)માં વિભાજિત રાજ્યવ્યવસ્થાને સમાપ્ત કરી 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે. 
  • ભારતીય સંસદ દ્વારા કેટલાંક પરિવર્તનો સાથે આ રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો તથા 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા 4 વર્ગોનાં રાજ્યોને સમાપ્ત કરી 1 નવેમ્બર, 1956થી 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કરવામાં આવ્યું.

 

1956 નાં રાજ્યો પુનર્ગઠન આયોગ મુજબ ભારતીય ક્ષેત્ર :

રાજ્ય

1. આંધપ્રદેશ

4. જમ્મુ-કાશ્મીર

7. ઉ.પ્રદેશ

10. રાજસ્થાન

13. મૌસુર

2. આસામ

5. બિહાર

8. મધ્યપ્રદેશ

11.પંજાબ

14. મદ્રાસ

3. બોમ્બે (મુંબઈ)

6. પ.બંગાળ

9. કેરળ

12. ઓરિસ્સા

 

 

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up