આમુખમાં આવતા અગ્ત્યનાં શબ્દાર્થ

(1) સાર્વભૌમ (સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન)

  • સાર્વભૌમ એટલે ભારત દેશ કોઈ અન્ય દેશ પર આધારિત નથી. ભારત સ્વતંત્રદેશ છે. તેમાં કોઈપણ પ્રકારનો સંસ્થાકીય દરજ્જો ધરાવતો નથી.
  • ભારતની બંધારણસભા સાર્વભૌમ હતી. તે બ્રિટિશ પાર્લામેન્ટની દેન નથી. અમે ભારતના લોકો...” આ શબ્દો તેની સાબિતી છે.
  • પાકિસ્તાન 1956 સુધી ડોમિનિયન રહ્યું, પરંતુ ભારત શરૂઆત પછી 26 જાન્યુઆરી, 1950થી સંપૂર્ણ પ્રજાસત્તાક છે. ભારત 1949માં કૉમનવેલ્થમાં જોડાયું, પરંતુ ત્યારે જવાહરલાલ નહેરુએ આપેલા પ્રવચનથી કૉમનવેલ્થની વ્યાખ્યા જ બદલાઈ ગઈ અને ભારત ડોમિનિયન કહેવાયું નહિ.
  • સંપ્રભુત્વ સંપન્ન દેશ હોવાના કારણે ભારત કોઈપણ વિદેશી સીમા અધિગ્રરણ અથવા કોઈ અન્ય દેશના પક્ષમાં પોતાની સરહદના કોઈ ભાગનો અધિકાર છોડી શકે છે.

2) લોકતંત્ર (લોકશાહી)

  • Democracy શબ્દ એ બે ગ્રીક શબ્દનો બનેલો છે. Demos અર્થાત્ 'લોકો અને crariya અર્થાત્ શાસન.
  • સંસદીય શાસન પ્રણાલી; લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય. ભારત લોકશાહી રાજ્ય છે. અર્થાત્ ભારતની સરકાર સંપૂર્ણપણે લોકોને જવાબદાર રહેશે.
  • ભારતની પ્રજા કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક એમ દરેક કક્ષાએ સાર્વત્રિક, પુખ્તવય મતાધિકારની પદ્ધતિથી સરકારની ચૂંટણી કરે છે.

(3) પ્રજાસત્તાક (ગણરાજ્ય)

  • ભારતમાં દેશના સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિનું પદ વંશાનુગત નથી જેવું કે બ્રિટનમાં છે,
  • પરંતુ ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ (લોકસભા, રાજ્યસભા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો) રાષ્ટ્રપતિને ચૂંટે છે.
  • આથી ભારત પ્રજાસત્તાક છે. આ સિદ્ધાંત ફ્રાન્સ પાસેથી લીધેલો છે.
  • બ્રિટન સાર્વભૌમ લોકશાહી દેશ છે, પરંતુ પ્રજાસત્તાક નથી, કારણ કે ત્યાં પરંપરાગત રાજાશાહી છે. જ્યારે ભારત લોકશાહી અને પ્રજાસત્તાક બંને છે.

4) સમાજવાદી (Socialist)

  • 'સમાજવાદ' અર્થાત્ ઉત્પાદન અને વિતરણના સાધનો સંપૂર્ણપણે અથવા આંશિક જનતાના હાથોમાં હોય.
  • સાર્વજનિક માલિકીમાં અર્થાત્ રાજ્ય (સરકાર)ના નિયંત્રણમાં બંધારણના અનુચ્છેદ-38 અને અનુચ્છેદ-39 દ્વારા સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરી સમાજવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  • ઈ.સ.1955માં કૉન્ગ્રેસ તેના અવાડીસત્ર (ચેન્નઈ)માં ભારતીય રાજ્યના લક્ષ્યને “સમાજનો સમાજવાદી પ્રારૂપ (Socialist Pattern of Society)"નો સ્વીકાર કર્યો હતો.
  • ભારતીય સમાજવાદ, માર્ક્સવાદ અને ગાંધીવાદનું મિશ્ર સ્વરૂપ છે જેમાં ગાંધીયન સમાજવાદ તરફ વધુ ભાર આપવામાં આવ્યું છે.
  • બંધારણના આરંભથી આ શબ્દ ન હતો. તે 42મા બંધારણીય સુધારા 1976 હેઠળ આમુખમાં જોડાયો.

5) પંથનિરપેક્ષ (42માં બંધારણીય સુધારાથી પ્રસ્તાવનામાં જોડાયેલ)

  • અર્થાત્ રાજ્યનો કોઈ ધર્મ નથી. ભારતમાં વ્યક્તિને તેને ગમે તે ધર્મ પાળવાની, આચરવાની છૂટ આપવામાં આવી છે. અનુચ્છેદ-25 મુજબ બધા જ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે.
  • ભારતમાં રહેતા જુદા-જુદા ધાર્મિક સમુદાયો વચ્ચે ભેદભાવ કરતી નીતિઓ સરકાર અમલમાં મૂકી શકે નહિ.
  • ભારત નથી ધાર્મિક, નથી અધાર્મિક કે નથી ધર્મવિરોધી એવું ધાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે."
  • બંધારણના આરંભથી આ શબ્દ ન હતો. તેને 42મા બંધારણીય સુધારા 1970 હેઠળ આમુખમાં જોડાયો જેને ભારતીય બંધારણમાં હકારાત્મક ખ્યાલ તરીકે સ્વીકારાયો. 

6) વિચાર, અભિવ્યકિત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

  • આ સિદ્ધાંત ફ્રેંચ ક્રાંતિમાંથી લેવાયો છે.
  • આમુખમાં 5 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે.
  • અનુચ્છેદ-19માં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અનુચ્છેદ-25થી અનુચ્છેદ-28માં વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાનો સમાવેશ મૂળભૂત અધિકારોમાં કરવામાં આવ્યો છે. જે તેનું મહત્ત્વ દર્શાવે છે.

7) પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા.

  • ભારતના બંધારણના ભાગ-3માં અનુચ્છેદ-15માં રાજ્ય અને કોઈ પણ નાગરિક અન્ય નાગરિક સાથે ધર્મ, વંશ, જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખી શકશે નહિ.
  • આ ઉપરાંત અનુચ્છેદ-16 અવસરની સમાનતા, અનુચ્છેદ-326 બધા જ નાગરિકો માટે સમાન સાર્વત્રિક વયસ્ક મતાધિકાર, અનુચ્છેદ-39 સી-પુરુષને સમાન વેતન દ્વારા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરાવવા બંધારણમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે.

8) ન્યાય

  • ભારતના બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત 1917ની રશિયા ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે.
  • આમુખમાં ભારતના નાગરિકોને પ્રાપ્ત થાય તેવા ૩ ન્યાયની ચર્ચા કરવામાં આવી છે.
  • (1) સામાજિક ન્યાય :- અનુચ્છેદ - 15 : પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈ અનામત દ્વારા,

 અનુચ્છેદ-38 : સામાજિક અસમાનતા દૂર કરવી.

  • (2) આર્થિક ન્યાય :- અનુચ્છેદ – 39 : રાષ્ટ્રીય ધનમાં વૃદ્ધિ કરી તેનું બધા જ લોકોમાં સમાન વિતરણ.
  • (3) રાજકીય ન્યાય :- અનુચ્છેદ-16 : અવસરની સમાનતા. 

 9) વ્યક્તિની ગરિમા

  • આ માટે બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા વગેરેના મૂળભૂત અધિકારોની ગેરેન્ટી આપવામાં આવી છે.
  • આ ઉપરાંત રાજ્યને નીતિનિર્દેશક તત્ત્વોમાં દિશાનિર્દેશ આપ્યો કે જેથી રાજ્યો પોતાની નીતિઓનું નિર્માણ એ મુજબ કરે કે બધા નાગરિકોને આજીવિકા માટે સાધન, કામની ન્યાયસંગત અને માનવોચિત દશાઓ તથા એક યોગ્ય જીવનસ્તર ઉપલબ્ધ થાય.
  • વ્યક્તિની ગરિમાનો ઉલ્લેખ બંધારણના નીચેના અનુચ્છેદમાં જોવા મળે છે :

અનુચ્છેદ - 17: અસ્પૃશ્યતા નિવારણ

અનુચ્છેદ - 32 : વ્યક્તિગત રીતે બંધારણીથ ઇલાજોનો અધિકાર

અનુચ્છેદ - 39(1) : રાજ્યએ સ્ત્રી-પુરુષ બંનેને આજીવિકા માટે પર્યાપ્ત સાધનો પ્રદાન કરવા.

અનુચ્છેદ - 42 : રાજ્યએ કામની ન્યાયસંગત, માનવોચિત દશાઓ અને માતૃત્વ સહાય પૂરી પાડવી.

10) રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને બંધુત્વ

  • ભારતના બંધારણના ભાગ-4(A)માં અનુચ્છેદ-51(A)માં મૂળભૂત
  • ફરજોમાં દરેક વ્યક્તિની ફરજ તરીકે "ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી" દર્શાવવામાં આવેલ છે.
  • ઈ.સ. 1948ના યુ.એન.ના જાહેરનામામાં કહેવામાં આવ્યું કે “તમામ મનુષ્યો જન્મે સ્વતંત્ર છે, સમાન રીતે સન્માનના અધિકારી છે. તેમની પાસે બુદ્ધિ અને ઝમીર છે. એકબીજા સાથે તેમણે ભાઈચારાનો વ્યવહાર કરવી જોઈએ."
  • આમુખના સિદ્ધાંતો :-

મુખ્યરૂપથી આમુખના ચાર સિદ્ધાંત છે.

1) ભારતની પ્રકૃતિ : તે દર્શાવે છે કે ગણતંત્ર, પંથનિરપેક્ષ, સમાજવાદ અને લોકશાહી (લોકોના શાસનવાળો) દેશ છે.

2) બંધારણનો હેતુ (ઉદ્દેશ્ય) : ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનો છે. જે દર્શાવે છે કે બધા માટે ન્યાયિક સુવિધા રખાશે.

3) બંધારણીય અધિકાર : ભારતના લોકોમાં કે લોકોની શક્તિ એ બંધારણનો સ્ત્રોત છે.

4) બંધારણ સ્વીકાર થયાની તારીખ : બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949 બંધારણ સ્વીકાર્યું.

યાદ રાખો :

  • ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પ્રારૂપ (માળખું) બંધારણસભાના સલાહકાર સર બી.એન.રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું.
  • 13 ડિસેમ્બર, 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ભારતની બંધારણસભામાં પ્રસ્તાવના રજૂ કરવામાં આવી, જેને સૌથી છેલ્લે 22 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણસભા દ્વારા બંધારણની પ્રસ્તાવના તરીકે અપનાવવામાં આવી.
  • "પ્રસ્તાવનામાં આપણી આકાલાઓ સામેલ છે જેના માટે આપણે કઠોર સંઘર્ષ કર્યો છે" - જવાહરલાલ નહેરુ
  • નાસ્તિક રાજ્ય :- એવું રાજય (દેશ) જે ભપા જ ધર્મોનો ઈન્કાર કે વિરોષ કરતો હોય તથા કોઈ જ પર્મને માન્યતા આપે નહિ.
  • સૈદ્ધાંતિક રાજ્ય :- એવું રાજય (દેશ) જેનો પોતાનો કોઈ વિશેષ ધર્મ હોય જેમ કે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, વગેરે ધર્મનિરપેક્ષ રાજ્ય :- એવું રાજ્ય જે નથી ધાર્મિક કે નથી ધર્મ વિરોધી જે યાર્મિક બાબતોમાં તટસ્થ રાજ્ય છે. જેમ કે યુ.એસ.એ., ભારત વગેરે.

આમુખની એક ઝલક

ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ

જવાહરલાલ નેહરુ

ઉદ્દેશ પ્રસ્તાવની રજૂ કરાઈ તે તારીખ

13 ડિસેમ્બર, 1946

ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર

22 જાન્યુઆરી, 1947

આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર 

સર બી.એન. રાવ

આમુખનો બંધારણમાં સ્વીકાર 

22 જાન્યુઆરી, 1950

આમુખમાં એક્માત્ર સુધારો 

42મો બંધારણીય સુધારો, 1976 (સમાજવાદ, પંથનિરપેક્ષ અને અખંડિતતા શબ્દ ઉમેરાયા)

બંધારણની ડિઝાઇન 

શ્રી બેઓહર રામમનોહર સિંહા દ્વારા ચિત્રીત કરાઈ હતી. 

-----------------❌❌----------------------❌❌-----------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up