તાના રીરી મહોત્સવ

 

  • મહેસાણા જિલ્લાનાં વડનગરમાં તાના રીરી મહોત્સવ દર વર્ષે કારતત સુદ- ૯ અને કારતક સુદ-૧૦ નાં રોજ બે દિવસ આ મહોત્સવ ઉજવાય છે.

 

  • આ મહોત્સવ ગુજરાત સરકારનાં રમત,ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

  

  • ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા મહોત્સવનું ઉદ્દ્ઘાટન કરવામાં આવે છે.

 

  • મુખ્યમંત્રીદ્વારા આ મહોત્સવનાં પ્રથમ દિવસે ‘તાના રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે.

  

  • તાના રીરી મહોત્સવ વડનગરની બે બહેનો. તાના અને રીરીનાં સન્માનમાં યોજવામાં આવે છે.આ સંગીત મહોત્સવમાં દેશનાં પ્રખ્યાત કલાવૃંદો અને પ્રસિધ્ધ કલાકારો પોતાની કૃતિઓ રજુ કરે છે.

 

  • ગુજરાતનાં આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતાનાં દોહિત્રી શમિષ્ઠાની સુપુત્રીઓ તાના – રીરીની યાદમાં વર્ષ ૨૦૦૩ થી આ મહોત્સવ ઉજવવામાં આવે છે.

  

  • બાદશાહ અકબરનાં નવ રત્નો પૈકી એક સંગીત સમ્રાટ તાનસેનને દિપગ રાગ (અગ્નિ દેવને સમર્પિત રાગ) નાં વ્યાપક ગાયનનાં કારણે શરીરમાં દાહ લાગ્યો.

 

  • ત્યારે તાના – રીરીએ વડનગરનાં શમિષ્ઠા તળાવ કાંઠે રાગ મલ્હાર (વરસાદ લાવનાર મેઘ પર સમર્પીત એક રાગ) ગાયો અને તેમનાં ગાયનને કારણે તાનસેનને શાતા (અગ્ની શાંત થઈ) વળી.

     

  • વડનગરમાં તાના-રીરીના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

  • દંતકથા / લોકવાયીકા પ્રમાણે:-

  • જ્યારે અકબરના દરબાર ગાયક, ઉસ્તાદ તાનસેન ગુરૂનું અવસાન થયું, ત્યારે તેણે રાગ દીપક ગાયો. એમ કહેવામાં આવે છે કે આ રાગ ગાવાને પરિણામે ગાયકને તેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા લાગે છે.

  • તે જ પ્રમાણે તાનસેન દીપક રાગની દાઝથી પ્રભાવિત થયો હતો, અને તેના શમન અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યો. તે સમય દરમ્યાન અકબરની સેનાનો સેનાપતિ ઈઝાદખાન વડનગર આવ્યો અને તેને તાના અને રીરી નામની બે બહેનો વિશે જાણવા મળ્યું, કે જેઓ નિપુણ ગાયકો હતી અને રાગ મલ્હાર ગાઇને તાનસેન (રાગ દિપકના નિષ્ણાત)ના દાહને શમાવી શકતી હતી. જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેઓએ આવવાની ના પાડી કારણ કે નાગરો તરીકે તેમનું વ્રત હતું કે તેઓ ગામના દેવની મૂર્તિની સામે જ ગાઈ શકે. દરબારનો પ્રસ્તાવ ન માનતા તેમના શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા હતી. આથી તેમણે દરબારમાં જઈ ગાવાને બદલે તેઓ કૂવામાં ડૂબીને આત્મકથા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેનને તાના-રીરીના માનમાં નામ આપેલા નવો સંગીત રાગ વિકસાવવા કહ્યું

    જે ગ્રામજનો અકબરની સેના દ્વારા હુમલો ભયને પરિણામે વાણિયા બન્યા તેઓ હવે દશનાગર તરીકે ઓળખાય છે.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up