રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાતી વ્યાકરણ : છંદનાં પ્રકારો (પ્રકાર ૧) 04

(9) ઉપજાતિ છંદ

  • આ છંદમાં 11-11 અક્ષરવાળા ચાર ચરણમાંથી ઈન્દ્રવજ્રા છંદના એક ચરણની પાછળ ઉપેન્દ્રવજ્રા છંદનું બીજું ચરણ આવેલું હોય છે. અથવા પહેલું ચરણ ઉપેન્દ્રવજા છંદનું તો બીજું ચરણ ઇન્દ્રવજ્રા છંદનું જોવા મળે છે અને આ બન્ને છંદના મિશ્રણથી ઉપજાતિ છંદ બને છે.

▪️ અન્ય ઉદાહરણો :

દૂર્યોધન પ્રેષિત દૂત એક,

દેખાવામાં પાતક દુષ્ટ છેક (ઈન્દ્રવજા)

જતો હતો અંધ થતી નિશામાં

સુગુપ્ત રાજગ્રહની દિશામાં (ઉપેન્દ્રવજા)

પાપી ભયોના મુજ સર્વ ભારા,

સરી ગયા રશ્મિ સુરમ્ય સેવી (ઈન્દ્રવજા)

આ એક તારા સિમત કાજ મારી,

આ જિંદગી શું, લખ જાઉ વારી (ઉપેન્દ્રવજા)

છો કાળ આવે શિશિરોય આવે, (ઈન્દ્રવજા)

ને પુષ્પ કૂણાં દવામાં પ્રજાળે (ઉપેન્દ્રવજા)

ભરો ભરો માનવના ઉરોને, (ઈન્દ્રવજા)

ઉત્સાહને ચેતનપુર રેલી (ઉપેન્દ્રવજા)

આયુષ્યના ઉંબરમાં ઊભેલો (ઈન્દ્રવજા)

જુવાન ઝંખે ક્ષિતિજો વળોટી (ઉપેન્દ્રવજા)

ને પંખી લે પ્રાણ પ્રયાણ ઘેલો (ઈન્દ્રવજા)

ભવિષ્યની કૂચ તણી રજોટી (ઉપેન્દ્રવજા)

જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ (ઈન્દ્રવજા)

બની રહો એ જ સમાધિયોગ (ઉપેન્દ્રવજા)

દેખાય ના બાળક તે કિનારે (ઈન્દ્રવજા)

ના વેણના સૂર સુણાય ત્યારે (ઈન્દ્રવજા)

અંધાર આકાશ વિશે તણાયો (ઈન્દ્રવજા)

અને કડાકો ઝટ સંભળાયો (ઉપેન્દ્રવજા)

---------❌------------------❌---------

(10) વંશસ્થ છંદ

▪️ અન્ય ઉદાહરણો : 

સ્વતંત્રતા, દે વરદાન એટલું,

ન હીન સંકલ્પ હજો કીદ મન.

નથી હવે આભ વિષે જ ઊડવું,

ન શૂન્યના સાગરમાંહિ બડવું.

લજજા નમેલું નિજ મંદ પોપચું,

કો મુગ્ધ બાલા શરમાતી આવ રે.

ને શોભી રહે નિર્મલ નેનની લીલા,

એવી ઉગી ચંદ્રકલા ધીરે ધીરે.

કદીક પીધી ગ્રહની અગાસીએ,

કદી વને અંકુરની પથારીએ.

ગિરિ તણે ઉન્નત શૃંગ વા કદી,

આ કંઠ પીધી પ્રતિમાસ પૂર્ણિમા.

ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને,

નજીક આંખે નિરખે થનારને.

નથી આભ વિશે જ ઊડવું,

ન શૂન્યના સાગરમાંહિ ડૂબવું.

કલા છે ભોજય મીઠીને, ભોક્તા વીણ કલા નહિ,

કલાવાન કલા સાથે, ભોક્તા વીણ મળે નહિ.

વજ્રની સાંકળો બાંધો, રોકાએ તોયના કદી,

તે જ ચિત્ત બને બંદી, નારીના કેશપાશથી

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,

નજીક આંખે નીરખે થનારને.

કરેલ આમંત્રણ ધર્મરાજને,

રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

---------❌------------------❌---------

(11) ઈન્દ્રવંશા છંદ

▪️ અન્ય ઉદાહરણો : 

સ્નેહી હતાં દૂર, સમક્ષ તે થયાં,

આધે હતાં તે ઉરમા રમી રહ્યા,

ને મૃત્યુ શાથી પણ પ્રાણમાં ઊભા,

એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા.

હું માનવી માનવ થાઉં તો ઘણું.

ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે,

ખંડેરની ભસ્મકણી ન લાધશે.

---------❌------------------❌---------

(12) દ્રુતવિલંબિત છંદ

▪️ અન્ય ઉદાહરણો : 

પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી

સમયનું બવ ભાન રહે નહી, અવધિ અકુંશ સ્નેહ સહે નહી.

પવનમાં પુરદીપ કરેલ છે, જનતણાં ગૃહદ્વાર બીડેલ છે,

ગગનમાં ભર શ્રાવણ-તારલાં ધનઘટા મહીં થોર ડૂબેલ છે.

જીવનમાં ઝબકાર કરે જ જે, હૃદયમાં બલ હે વિભુ ! પૂરજે.

શિશુસમાન ગણી સહદેવને, ખબર આ કંઈયે ન કર્યા હતા.

નોંધ : અહીં આ ભાગ પૂરો, આ ભાગમાં 4 છંદની માહીતી આપવામાં આવેલ છે. બાકીનું આગળના "ભાગ-5" માં.

---------❌------------------❌---------

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up