જૂન 2026
54) પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે તમિલનાડુના કલ્પક્કમ ખાતે આવેલું ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિએક્ટર છે.
2. તેની ઊર્જાક્ષમતા 500 મેગાવોટ ઇલેક્ટ્રિક (MWe) છે.
3. આ રિએક્ટર સોડિયમ-કૂલ્ડ અને પૂલ-ટાઇપ પ્રકારનું છે.
4. કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ઓપરેટ કરનારો ભારત વિશ્વનો ત્રીજો દેશ છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
60) NCERTને 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' જાહેર કરવા અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. UGC એક્ટ, 1956ની કલમ 3 મુજબ આ દરજ્જો આપવામાં આવ્યો છે.
2. આ દરજ્જામાં NCERTની સાથે તેની 6 ઘટક સંસ્થાઓ (RIE)નો પણ સમાવેશ થાય છે.
3. હવે NCERT સ્વતંત્ર રીતે પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરી શકશે અને ડિગ્રી એનાયત કરી શકશે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
63) UNSC સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરું નામ 'United Nations Security Council' છે.
2. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે.
3. UNSCનું પ્રથમ સત્ર 17 જાન્યુઆરી, 1946ના રોજ લંડનના વેસ્ટ મિન્સ્ટર ખાતે યોજાયું હતું.
4. UNSC 15 સભ્યો ધરાવે છે. જેમાંથી 5 કાયમી સભ્યો અને 10 બિન–કાયમી સભ્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
66) વનતારા યુનિવર્સિટી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તે વન્યજીવ સંરક્ષણ માટે વિશ્વની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ યુનિવર્સિટી છે.
2. આ યુનિવર્સિટી ગુજરાતના જામનગરમાં શરૂ કરવામાં આવશે.
કયાં વિધાનો સાચાં છે ?
67) SIPRI દ્વારા પ્રકાશિત ‘ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2025’ રિપોર્ટ અનુસાર નીચેનાં વિધાનો ચકાસો.
1. વર્ષ 2025માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોની યાદીમાં USA પ્રથમ ક્રમે છે.
2. ભારત 92.1 અબજ US ડોલરના કુલ ખર્ચ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
3. ગત વર્ષની સરખામણીએ ભારતના સૈન્ય ખર્ચમાં 8.9%નો વધારો નોંધાયો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
68) તાજેતરમાં હસ્તાક્ષર થયેલા ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (IN-NZ FTA)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ કરાર હેઠળ ભારતને ન્યૂઝીલેન્ડ માટેની તમામ 8284 ટેરિફ લાઇન પર 100% ડ્યુટી-ફ્રી એક્સેસ પ્રાપ્ત થઈ છે.
2. સ્થાનિક હિતોના રક્ષણ માટે ડેરી ઉત્પાદનો (જેવા કે દૂધ, ચીઝ વગેરે)ને આ કરારથી મુક્ત (બાકાત) રાખવામાં આવ્યા છે.
3. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ્સમાં 20 અબજ USDના રોકાણની ખાતરી આપી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
73) તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI Year Book 2026 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. વિશ્વના 9 દેશો પરમાણુ શસ્ત્ર ધરાવે છે.
2. રશિયા અને અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ શસ્ત્ર ભંડાર છે.
3. ભારત પાસે 190 પરમાણુ શસ્ત્ર હોવાની સંભાવના છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
75) NITI (National Institution for Transforming India) આયોગ વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય નથી ?
1. 1 જાન્યુઆરી 2016ના આયોજન પંચના સ્થાને તેની શરૂઆત કરવામાં આવી હતી.
2. તે ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે.
3. તેના ઉપાધ્યક્ષ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે.
4. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને CEOની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાન પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
82) નીતિ (NITI) આયોગ અને તેના પદાધિકારીઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં ડો. અશોક લાહિરીએ નીતિ આયોગના વાઇસ-ચેરમેન તરીકે સુમન બેરીનું સ્થાન લીધું છે.
2. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે ભારતના વડા પ્રધાન ફરજ બજાવે છે.
3. નીતિ આયોગની રચના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી છે અને તે બંધારણીય સંસ્થા નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
83) OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) સંગઠન સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મે, 2026થી OPEC અને OPEC+માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
2. OPECની સ્થાપના સપ્ટેમ્બર, 1960માં ઇરાકના બગદાદ કોન્ફરન્સ ખાતે થઈ હતી.
3. UAE એ OPECના 5 સ્થાપક દેશોમાં એક દેશ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
88) 'મેમ્રિસ્ટર' (Memristor) ટેક્નોલોજી બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે 'મેમરી' અને 'રેઝિસ્ટર' શબ્દોના સંયોજનથી બનેલું ઉપકરણ છે.
2. તે પાવર સપ્લાય બંધ થયા પછી પણ સંગ્રહિત માહિતી ગુમાવતું નથી.
3. તે માહિતીનો સંગ્રહ અને પ્રોસેસિંગ બંને એકસાથે કરી શકે છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
98) એલિફન્ટા ટાપુના ઉત્ખનન અને ઇતિહાસ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં એલિફન્ટા ટાપુના 'રાજબંદર' વિસ્તારમાંથી 1500 વર્ષ જૂની વાવ (જળાશય) મળી આવી છે.
2. ઉત્ખનનમાંથી મળેલા મોટાભાગના સિક્કા કલચુરી વંશના શાસક કૃષ્ણરાજના છે, જેમાં સિક્કાઓની આગળની બાજુએ જમીન પર બેઠેલા નંદીની આકૃતિ જોવા મળે છે.
3. એલિફન્ટાની ગુફાઓને વર્ષ 1987માં UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Comments (0)