PSI Exam 2026 Mock Test Paper 1B

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 100

કુલ ગુણ: 100

કટ ઑફ: 40

સમય : 1 કલાક

દરેક પ્રશ્નોના નકારાત્મક ગુણ: 0.25

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • જો સમય સમાપ્ત થાય તો પરીક્ષા આપમેળે સબમિટ થઈ જશે.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 100 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્યની નાગૌરી અશ્વગંધાને GI ટેગ એનાયત થયો છે ?

2) ગુજરાતની પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનો શુભારંભક્યાં કરવામાં આવ્યો ?

3) PESA એક્ટ, 1996 અને PESA મહોત્સવ વિશે નીચેનાંમાંથી કર્યું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે ?

1. PESA મહોત્સવ 2025 આંધ્ર પ્રદેશના વિશાખાપકનમૂમાં યોજાયો હતો.
2. PESA એક્ટ ભૂરિયા સમિતિની ભલામણ પર ઘડવામાં આવ્યો હતો.
૩. આ એક્ટ બંધારણની છટ્ટી અનુસૂચિના વિસ્તારોમાં લાગુ થાય છે.
4. હાલમાં ભારતનાં 10 રાજ્યોમાં 5મી અનુસૂચિના વિસ્તારો નિર્દિષ્ટ છે.

4) ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને રોકવા માટે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?

5) તાજેતરમાં સમાચારમાં રહેલ 'પોન્દુર ખાદી' (Ponduru Khadi) કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

6) સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) ગુજરાતની 'કન્વિનર બૅન્ક' કઈ છે?

7) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા 2500 ઋષિકુમારોએ .....…… કલાક સુધી ઓમકારનો નાદ કર્યો હતો?

8) 'વિશ્વ માટી દિવસ' નિમિત્તે 'ભૂમિ સુપોષણ' વિષય પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ?

9) ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિવસ' કોની જન્મજયંતી નિમિત્તે ઊજવવામાં આવે છે ?

10) ગુજરાત હોમગાર્ડ્ઝ દળ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. તાજેતરમાં હોમગાર્ડ્ઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવામાં આવી છે.
2. આ સંસ્થાની સ્થાપના 1947માં કરવામાં આવી હતી અને તે માનદ સેવા આપે છે.
૩. હોમગાર્ડ્ઝ દળ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્ય કરે છે.

11) તાજેતરમાં સમાચારમાં રહેલ માઉન્ટ બુરની ટેલોંગ જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે?

12) નીચેનામાંથી ભારતમાં “હિન્દી દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

13) તાજેતરમાં ભારત ક્યાં દેશને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે ?

14) ભારત સરકાર દ્વારા સુનિતા વિલિયમ્સને કયા વર્ષમાં ‘પદ્મ ભૂષણ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

15) તાજેતરમાં ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

16) છારી-ટંટ વેટલેન્ડ વિશે નીચેનાં વિધાનો તપાસો.

1. તે કચ્છ જિલ્લાના બની ઘાસનાં મેદાનો અને કચ્છના રણની ધાર પર આવેલું છે.
2. 'છારી'નો અર્થ 'છીછરી ભીની જમીન' અને 'ઢંઢ'નો અર્થ 'ખારી' થાય છે.
3. તેને વર્ષ 2008માં કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

17) સુપ્રીમ કોર્ટના ‘માસિક ધર્મ સ્વચ્છતાના અધિકાર' અંગેના ચુકાદા (2026) સંદર્ભે નીચેનાં વિધાનો વિચારો.

1. સુપ્રીમ કોર્ટે તેને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ 'જીવવાના અધિકાર'નો અભિન્ન ભાગ ગણાવ્યો છે.
2. આ ચુકાદો ડો. જયા ઠાકુર વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપવામાં આવ્યો હતો.
3. કોર્ટે તમામ શાળાઓમાં ધોરણ 1થી 12ની છોકરીઓ માટે મફ્ત સેનિટરી નેપકિન્સ આપવાનો આદેશ આપ્યો છે.
નીચેનાંમાંથી સાચું/સાચાં વિધાન/નો પસંદ કરો :

18) તાજેતરમાં સુશ્રી સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત થયા છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન કુલ કેટલા દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે ?

19) તાજેતરમાં કચ્છના કયા વિસ્તારને 'Plastic Free Zone' જાહેર કરવામાં આવ્યો છે ?

20) 'ઉત્તરાર્ધ' શબ્દ અને મહોત્સવના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. ઉત્તરાયણ પછી જયારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેના મધ્ય ભાગને 'ઉત્તરાર્ધ' કહેવામાં આવે છે.
2. આ સમયગાળો શિયાળાની વિદાય અને લાંબા થતા દિવસોના સ્વાગતનું પ્રતીક છે.
૩. સૂર્યમંદિરની રચના એવી છે કે વર્ષમાં બે દિવસ સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં પડે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

21) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) - સૌરાષ્ટ્ર અને કચ્છ 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.

1. આ કોન્ફરન્સનું આયોજન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય ફોકસ ગુજરાતના વિઝન 2047ને એન્કર કરવાનું હતું.
2. આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગીદાર (Partner Countries) તરીકે ભૂમિકા ભજવી હતી.
૩. ભારતના નેચરલ ગેસ ગ્રીડમાં હાઇડ્રોજનના મિશ્રણ (Blending) માટે ભારતની નિયમનકારી સંસ્થા PNGRB એ જર્મનીના સંગઠન DVGW સાથે સમજૂતી કરાર (MoU) કર્યા.
4. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર ખાતે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની અને અદાણી ગ્રૂપ દ્વારા 37 GWના રિન્યૂએબલ એનર્જી પાર્કના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચાં છે ?

22) PMGSY ના અમલીકરણ અને દેખરેખ બાબતે નીચેનાં વિધાનો તપાસો.

1. આ યોજના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત છે.
2. રાષ્ટ્રીય સ્તરે યોજનાનું અમલીકરણ નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ એજન્સી (NRRDA) દ્વારા થાય છે.
ઉપરનામાંથી કયું/કયાં વિધાન સાચાં છે ?

23) ભારત-પાકિસ્તાન વચ્ચે ન્યુક્લિયર ફેસિલિટીની માહિતીની આપ-લે અંગે કયાં વિધાનો સાર્યા છે ?

1. જાન્યુઆરી, 2026માં બંને દેશોએ સતત 35મી વખત આ માહિતીની આપ-લે કરી છે.
2. આ માહિતીની આપ-લે 31 ડિસેમ્બર, 1988ના કરાર હેઠળ કરવામાં આવે છે.
3. બંને દેશો વચ્ચે પ્રથમ વખત યાદીની આપ-લે 1 જાન્યુઆરી, 1991ના રોજ થઈ હતી.

24) તાજેતરમાં અમેરીકાનાં પ્રમુખ દ્વારા કેટલા દેશનાં નાગરિકોને અસર કરતો ટ્રાવેલ બેન જાહેર કર્યો>

25) વર્ષ 2025મા કયા રાજ્યમાં જન્મ સમયે લિંગ ગણોત્તર (SRB) 923 નોંધાયો હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ સ્તર દર્શાવે છે?

26) ભારતમાંથી પાકિસ્તાન ક્યા દિવસે અલગ થયું ?

27) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ?

28) ઈ.સ.1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી?

29) ધોળકામાં આવેલ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?

30) પ્લાસીનું યુદ્ધ ………..માં લડાયું હતું.

31) ઈ.સ.1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્કવેર ખાતે વિલિયમ વાયલીની ગોળીથી વીધીને હત્યા કોણે કરી હતી ?

32) મોરબીના પ્રજાપ્રિય રાજવી વાઘજી-બીજાની સ્મૃતિમાં બંધાવેલ બાવલુના શિલાલેખમાં તેમને કયા નામે દર્શાવેલ/વર્ણવેલ છે ?

33) પાટણની પ્રસિદ્ધ ‘રાણકી વાવ’ કોણે બંધાવી હતી ?

34) નીચેના વાક્યો ચકાસો:

1.તૃતીયક સેવા પ્રવૃત્તિઓમાં વ્યાપાર, વાણિજ્ય, પરિવહન, સંચાર સેવાઓનો સમાવેશ થાય છે.
2. ચતુર્થક પ્રવૃત્તિઓમાં માહિતી આધારિત સેવાઓ, સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
3. પંચમ પ્રવૃત્તિઓમાં નિષ્ણાતો, સલાહકારો અને નીતિ નિર્ધારકોનો સમાવેશ થાય છે.

35) ગુજરાતમાં તુવેરનું સૌથી વધુ વાવેતર ક્યા જિલ્લામાં થાય છે ?

36) ‘કડાણા બંધ’.......... નદી પર બાંધવામાં આવ્યો છે ?

37) પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ?

38) હાલમાં ભારત દેશમાં કુલ કેટલા હાથી પરિયોજનાના સંરક્ષિત વિસ્તારો છે ?

39) ઊર્જા મેળવવા માટે લાકડાંને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ ?

40) ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે?

41) ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળગ્રામ. ............. ?

42) "ગામીત" જાતિ વિશે નીચે પૈકી સાચાં વિધાનો જણાવો.

1. ગામીતો કુળદેવ તરીકે હાદરજોદેવ અને એંદરદેવની પ્રસંગોપાત પૂજા કરે છે અને પાલનપુર, દાંતા અને વડગામમાં વસે છે.
2. ગામીતોમાં મામા-ફોઈનાં સંતાનોમાં લગ્ન વ્યવહાર થઈ શકે છે તથા સમાજમાં ખંધાડ (ઘરજમાઈ) લાવવામાં પણ આવે છે.

43) નીચેના પૈકી કયા સ્થળો મુરલ પેન્ટીંગ (Mural painting) માટે જાણીતા છે ?

1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ

44) સૌરાષ્ટ્રનું “ગોફ ગૂંથણ નૃત્ય” બીજા કયા નામે પણ પ્રખ્યાત છે?

45) નીચેના પૈકી કોણ બંગાળના ‘ગ્રેટા ગાર્બો' (Greata Garbo) તરીકે જાણીતા હતાં?

46) ચાચર ચોક એટલે..

47) તામીલનાડુનું પ્રખ્યાત લોકનાટય કયું છે?

48) ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું ?

49) માઉન્ટ આબુ, રાજસ્થાન રાજ્યની ................. નું સૌથી ઊંચુ શિખર છે.

50) “સારે જહાં સે અચ્છા” કોણે લખ્યું છે?

51) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેનો અમલ કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી.
2. આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

52) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n)(iv) હેઠળની શાળા સિવાયની શાળામાં રચવામાં આવેલ “શાળા સંચાલન સમિતિ' (School Management Committee) માં ઓછામાં ઓછા ............... સભ્યો બાળકના માતા-પિતા અથવા વાલીઓ રહેશે અને ઓછામાં ઓછા સભ્યો સ્ત્રીઓ રહેશે.

53) રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે.

54) માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?

55) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

56) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

57) રાજયમાં અનુસુચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસુચિત જનજાતિઓના આદિવાસી સમુદાયોને નક્કી કરવા કોણ અધિકૃત છે?

58) નીચેના પૈકી ક્યા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે?

59) રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?

60) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ’ બાબતે છે ?

61) 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ ભારત માટે સર્વપ્રથમ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો?

62) ભારત સંઘના કેટલામાં રાજય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી?

63) અવિશ્વાસ પ્રસ્તાવ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. અવિશ્વાસ પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો જ ચાલુ સરકારનું પતન થાય છે.
2. અવિશ્વાસ દરખાસ્ત કેટલી બહુમતીથી પસાર થવી જોઈએ તેની રાજ્ય વિધાનસભા અને સંસદની જોગવાઇઓ અલગ અલગ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

64) અંદાજપત્રને કોણ તૈયાર કરે છે?

65) લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે ?

66) ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે?

67) “Memorandom of procedure” શબ્દો હાલમાં સમાચારમાં આવે છે તે કઈ બાબત સાથે સંકળાયેલા છે?

68) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે?

69) જો ભારતના બંધારણના અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની ઘોષણા સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં ન આવે, તો તે કેટલા દિવસ પર અમલ કરવાનું બંધ કરી દેશે?

70) દરેક માહિતી કમિશનર પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી …………………. વર્ષની મુરદ માટે અથવા પોતે ........... વર્ષની ઉંમર પૂરી કરે એ બેમાંથી જે વહેલું હોય તેટલી મુદ્દત સુધી હોદ્દો ધરાવી શકે છે.

71) વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે ?

72) ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયા અનુચ્છેદ મુજબ સંસદને રાજ્ય યાદીના વિષયમાં કાયદો બનાવવાની શક્તિ છે ?

73) સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે ?

74) જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં કેટલા વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે ?

75) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

76) એલિસા ટેસ્ટનો ઉપયોગ કયા રોગના નિદાન માટે થાય છે?

77) ચંદ્ર પર પહોંચનારો દુનિયામાં પાંચમો દેશ કયો છે?

78) શુક્રને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવાય છે કારણ કે

1. તેના પર માનવજીવનની શક્યતા છે.
2. તેનો આકાર અને આકૃતિ પૃથ્વી જેવાં છે .
ઉપર પૈકી કયું/કયાં કારણ/કારણો સાચું/સાચાં છે?

79) નીચેનામાંથી કઈ એન્ટિબાયોટિક્સ ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે ?

80) હવામાં કયા વાયુની હાજરીને લીધે હવામાં પિત્તળ (Brass)એ રંગહીન થઈ જાય છે.

81) Physical Research Laboratory (PRL) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. PRL ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે ઓળખાય છે.
2. PRLની સ્થાપના 1949માં ડો. વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

82) ભારત પાસે આદર્શ રીતે જંગલની જમીનની અંદાજીત ટકાવારી કેટલી હોવી જોઈએ ?

83) ગ્રીનહાઉસ અસર સંબધિત છે........

84) સુકો બરફ કોને કહે છે ?

85) એવોગેડ્રો અંકની સંજ્ઞા જણાવો (ઈટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રો)

86) વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે?

87) કોષરસ (જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ) ક્યાં આવેલું છે ?

88) મિટીઓરાલોજી શાસ્ત્ર શુ છે ?

89) બેક્ટેરિયાને નાસ કયો વાયુ કરે છે ?

90) લઘુદૃષ્ટિની ખામીને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે !

91) STD એટલે ?

92) મધમાખીના વિષ (ઝેર) માં કયો પદાર્થ હોય છે ?

93) લક્કડાઈવ, મિનિકોય અને અમિકિવી ટાપુઓના નામ સંસદના કયા કાયદાથી કયા વર્ષમાં, લક્ષદ્વીપ ટાપુ તરીકે જાહેર કરેલ હતા?

94) ............. ની વ્યાખ્યાયિત લાક્ષણિક્તા એ છે કે તે કોઈ વસ્તુનું મૂલ્યાંકન વ્યક્ત કરે છે.

95) નીચેનામાંથી શું જાહેરને ખાનગી પ્રશાસનથી જૂદુ પાડે છે?

96) …………. ત્યારે થાય છે જ્યારે પરિપક્વતા અને અનુભવના કારણે મનુષ્યમાં વ્યવસ્થિત અને પ્રગતિશીલ ફેરફારો થાય છે.

97) સ્વાયત્ત સાયન્સ એન્ડ ટેકનોલૉજી સંસ્થાઓ અને તેના સ્થાનની કઈ જોડી યોગ્ય નથી?

98) નૈતિક કૌશલ્યો એ........

99) નીચે આપેલ વાક્યો ચકાસો.

1. ક્લાયમેટ ચેન્જના કારણે ચોમાસા પહેલા અને પછી, અરબ સાગરમાં ચક્રવાતની સંખ્યાઓ ઘણીજ વધી ગયેલ છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં દુનિયાના કુલ ચક્રવાતના, 50% ચક્રવાતો થાય છે.

100) રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ એ કર્યો હતો.


Up