26 થી 28 ફેબ્રુઆરી 2026 નું કરંટ અફેર્સ
1) સેન્ટ્રલ સિલ્ક બૉર્ડ (CSB) અને ભારતના રેશમ ઉદ્યોગ બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. ટેક્સટાઈલ મંત્રાલયે CSBની પ્રોજેક્ટ મંજૂરીની મર્યાદા 50 લાખથી વધારીને 1 કરોડ કરી છે.
2. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ વર્ષ 1948માં સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે.
૩. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જે રેશમની ચારેય મુખ્ય જાતોનું ઉત્પાદન કરે છે.
4. ભારતના કુલ રેશમ ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો 'મૂંગા' રેશમનો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
2) ભારતના પ્રથમ ઓપન-સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્રોજેક્ટ આંદામાન સમુદ્રમાં શ્રી વિજય પુરમ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
2. આ પ્રોજેક્ટનું સંચાલન પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
3. આ પ્રોજેક્ટમાં કોબિયા અને સીબાસ જેવી માછલીઓના સંવર્ધન માટે સ્વદેશી 'ઓપન-સી કેજ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
5) “Anti-Coercion Instrument” (ACI) અથવા “બઝૂકા” વિષે નીચેના વિધાનો ધ્યાને લો.
1. તે યુરોપીયન યુનિયન (EU)ની એક કાયદાકીય વેપાર-સંરક્ષણ વ્યવસ્થા છે.
2. તેનો ઉપયોગ ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકાના આર્થિક દબાણ સામે કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આગ્રહ કર્યો હતો.
3. આ વ્યવસ્થા હેઠળ EU ચીજવસ્તુઓ પર આયાત/નિકાસ પ્રતિબંધો લાદી શકે છે.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
6) ઉત્તરાર્ધ મહોત્સવ અને તેના આયોજન બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ મહોત્સવનું આયોજન વર્ષ 1992થી મોઢેરાના સૂર્યમંદિરમાં કરવામાં આવે છે.
2. આ મહોત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની 'ગુરુ-શિષ્ય પરંપરા'ને જીવંત રાખવાનો છે.
૩. તેનું આયોજન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
ઉપરના પૈકી કયો વિધાનો સાચાં છે ?
7) 'ઉત્તરાર્ધ' શબ્દ અને મહોત્સવના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ઉત્તરાયણ પછી જયારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેના મધ્ય ભાગને 'ઉત્તરાર્ધ' કહેવામાં આવે છે.
2. આ સમયગાળો શિયાળાની વિદાય અને લાંબા થતા દિવસોના સ્વાગતનું પ્રતીક છે.
૩. સૂર્યમંદિરની રચના એવી છે કે વર્ષમાં બે દિવસ સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં પડે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
8) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) - સૌરાષ્ટ્ર અને કચ્છ 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. આ કોન્ફરન્સનું આયોજન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય ફોકસ ગુજરાતના વિઝન 2047ને એન્કર કરવાનું હતું.
2. આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગીદાર (Partner Countries) તરીકે ભૂમિકા ભજવી હતી.
૩. ભારતના નેચરલ ગેસ ગ્રીડમાં હાઇડ્રોજનના મિશ્રણ (Blending) માટે ભારતની નિયમનકારી સંસ્થા PNGRB એ જર્મનીના સંગઠન DVGW સાથે સમજૂતી કરાર (MoU) કર્યા.
4. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર ખાતે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની અને અદાણી ગ્રૂપ દ્વારા 37 GWના રિન્યૂએબલ એનર્જી પાર્કના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
9) છારી-ટંટ વેટલેન્ડ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે કચ્છ જિલ્લાના બની ઘાસનાં મેદાનો અને કચ્છના રણની ધાર પર આવેલું છે.
2. 'છારી'નો અર્થ 'છીછરી ભીની જમીન' અને 'ઢંઢ'નો અર્થ 'ખારી' થાય છે.
3. તેને વર્ષ 2008માં કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
10) રામસર સાઇટ્સ અંગે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લાના પટના પક્ષી અભયારણ્યનો રામસર સાઇટમાં સમાવેશ થયો છે.
2. આ નવી જાહેરાત સાથે ભારતમાં સમસર સાઇટ્સની કુલ સંખ્યા 100 થઈ ગઈ છે.
3. વર્ષ 2014થી અત્યાર સુધીમાં ભારતનું રામસર નેટવર્ક 276% જેટલું વિસ્તર્યું છે.
11) ભારતના હાઇડ્રોકાર્બન ક્ષેત્ર અને તાજેતરમાં ખંભાતના અખાતમાં થયેલી શોધના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. 'અંબે-2A' બ્લોક પશ્ચિમ દરિયાકાંઠે કોમર્શિયલ ઉત્પાદન માટે તૈયાર થનારો પ્રથમ 'ડિસ્કવર્ડ સ્મોલ ફીલ્ડ' (DSF) છે.
2. આ શોધમાં વપરાયેલી ' સબ-સી ટેમ્પલેટ ટેક્નોલોજી' સમુદ્રના તળિયે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક ડ્રિલિંગ કરવામાં મદદ કરે છે.
૩. તારકેશ્વર ફોર્મેશન એ માત્ર લિગ્નાઇટના ભંડાર માટે જ જાણીતું ભૂસ્તરીય સ્તર છે.
4. કેયર્ન ઓઇલ એન્ડ ગેસ એ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની (Public Sector) તેલ કંપની છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
12) સાણંદ ખાતે સ્થપાનારા સેટેલાઇટ પ્લાન્ટ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ દેશનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટ છે જે સાણંદના ખોરાજ ખાતે સ્થાપવામાં આવી રહ્યો છે.
2. આ પ્લાન્ટ અઝિસ્ટા સ્પેસ (Azista Space) કંપની દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે.
3. આ પ્લાન્ટમાં મુખ્યત્વે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ (EO Payload) ઉત્પાદન થશે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
13) ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ (EO Payload) વિશે નીચેનામાંથી કર્યું વિધાન યોગ્ય છે ?
1. તે સેટેલાઇટનું સૌથી મહત્ત્વનું અંગ છે.
2. તે પૃથ્વીના હાઈ-રિઝોલ્યુશન ફોટા અને ડેટા લેવા માટે જવાબદાર છે.
14) ઓડિશામાં સ્થપાયેલા દેશના પ્રથમ અત્યાધુનિક ફલેટ રોલ્ડ પ્રોડકટ્સ (FRP) પ્લાન્ટ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્લાન્ટ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંબલપુરના લાપંગા ખાતે સ્થાપિત કરાયી છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ માટે કાચા માલની જરૂરિયાત પૂરી કરવાનો છે.
3. આ પ્લાન્ટ 50 GWh સુધીની સેલ ઉત્પાદનક્ષમતાને સપોર્ટ કરી શકે છે.
16) ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન અને MSTrIPES એપ વિશે શું સાચું છે ?
1. વાઘની ગણતરી દર 4 વર્ષે એકવાર કરવામાં આવે છે.
2. ભારતની પ્રથમ વાઘ ગણતરી વર્ષ 2006માં થઈ હતી.
3. MSTrIPES એપનું પૂરૂ નામ “Monitoring System for Tigers: Intensive Protection and Ecological Status'.
17) ગુજરાતમાં LNG-સંચાલિત ટ્રેનના સફળ પરીક્ષણ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પરીક્ષણ સાબરમતી-મહેસાણા સેક્શન વચ્ચે કરવામાં આવ્યું હતું.
2. આ ટ્રેન સંપૂર્ણપણે માત્ર LNG ઇંધણ પર જ ચાલે છે.
૩. આ ટેક્નોલોજી દ્વારા ડીઝલના વપરાશમાં લગભગ 40% સુધીનો ઘટાડો કરી શકાય છે.
18) સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અને જનરલ કેટેગરી અંગે અપાયેલી સ્પષ્ટતા મુજબ કયું વિધાન સાચું છે ?
1. જનરલ કેટેગરી એ ઓપન મેરિટ સિસ્ટમ છે, કોઈ ચોક્કસ જ્ઞાતિનો ક્વોટા નથી.
2. જો અનામત વર્ગનો ઉમેદવાર વયમર્યાદામાં છૂટછાટ લે છે, તો પણ તેને જનરલ કેટેગરીમાં બેઠક મળી શકે છે.
૩. જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધુ ગુણ મેળવનાર અનામત વર્ગનો ઉમેદવાર (જો કોઈ છૂટછાટ ન લીધી હોય) અનામતની બેઠક રોકશે નહીં.
19) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠક સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ બેઠક સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ-ક્લોસ્ટર્સ ખાતે યોજાઈ હતી, જેની થીમ 'એ સ્પિરિટ ઓફ ડાયલોગ' હતી.
2. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
3. WEF દ્વારા ભારતના આંધ્ર પ્રદેશમાં 'સેન્ટર ફોર એનર્જી એન્ડ સાઇબર રેઝિલિયન્સ' સ્થાપવાનો નિર્ણય લેવાયો છે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં વિધાનો સાચાં છે ?
20) 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. પ્રજાસત્તાક દિવસ 2026ની મુખ્ય થીમ 'વંદે માતરમ્’નાં 150 વર્ષ હતી.
2. યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
3. કર્તવ્યપથ પર રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોની થીમ ‘દેવ ભૂમિ, વીર ભૂમિ' હતી.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો ખોટાં છે.
21) UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત સંદર્ભે કયાં વિધાનો સાચાં છે ?
1. બંને દેશો વર્ષ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 200 બિલિયન US ડોલરથી વધુ કરવા માટે સંમત થયા છે.
2. અબુ ધાબીમાં ભારતીય ક્લા અને વારસાને પ્રદર્શિત કરવા ‘હાઉસ ઓફ ઇન્ડિયા' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.
3. ફર્સ્ટ અબુ ધાબી બેન્ક (FAB) ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલશે.
22) સુપ્રીમ કોર્ટના ‘માસિક ધર્મ સ્વચ્છતાના અધિકાર' અંગેના ચુકાદા (2026) સંદર્ભે નીચેનાં વિધાનો વિચારો.
1. સુપ્રીમ કોર્ટે તેને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ 'જીવવાના અધિકાર'નો અભિન્ન ભાગ ગણાવ્યો છે.
2. આ ચુકાદો ડો. જયા ઠાકુર વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપવામાં આવ્યો હતો.
3. કોર્ટે તમામ શાળાઓમાં ધોરણ 1થી 12ની છોકરીઓ માટે મફ્ત સેનિટરી નેપકિન્સ આપવાનો આદેશ આપ્યો છે.
નીચેનાંમાંથી સાચું/સાચાં વિધાન/નો પસંદ કરો :
23) નવી દિલ્હીમાં યોજાયેલી 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑન ડેમોક્રસી ઍન્ડ ઇલેક્શન મૅનેજમૅન્ટ 2026' બાબતે શું સાચું છે ?
1. આ ભારત દ્વારા આયોજિત આ પ્રકારની કોન્ફરન્સની પ્રથમ આવૃત્તિ છે.
2. ભારત વર્ષ 2026 'International IDEA' નાં કાઉન્સિલ ઓફ મેમ્બર સ્ટેટ્સનું અધ્યક્ષ છે.
24) 'ASC ARJUN' અને મિલિટરી ક્વૉન્ટમ મિશન પોલિસી અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. 'ASC ARJUN' એ ભારતીય રેલવેનો પ્રથમ AI સંચાલિત હ્યુમનોઇડ રોબોટ છે, જે વિશાખાપટ્ટનમાં મુકાયો છે.
2. ક્વોન્ટમ ટેક્નોલોજીના ચાર સ્તંભોમાં ક્વોન્ટમ કમ્યુનિકેશન અને સેન્સિંગનો સમાવેશ થાય છે.
3. દર વર્ષે 14 એપ્રિલના રોજ “વર્લ્ડ ક્વોન્ટમ ડે” ઊજવવામાં આવે છે.
ઉપરનાં પૈકી સાચાં વિધાનો કયાં છે ?
Comments (0)