જૂન 2026
1) ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. વર્ષ 2026માં ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત છેલ્લા 42 વર્ષમાં કોઈ ઓસ્ટ્રિયન ચાન્સેલરની પ્રથમ ભારત મુલાકાત હતી.
2. બંને દેશોએ રોકાણને સરળ બનાવવા માટે ‘દ્વિપક્ષીય ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ’ (FTM) લોન્ચ કર્યું છે.
3. વર્ષ 2026માં વિયેના ખાતે દ્વિપક્ષીય સ્પેસ ઇન્ડસ્ટ્રી સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
7) ANNAM.AI (એલાયન્સ ફોર નેક્સ્ટ-જેન નરિશમેન્ટ થ્રુ એગ્રિકલ્ચર મોડર્નાઇઝેશન)ના સંદર્ભમાં નીચેનાં જોડકાં ધ્યાને લો.
1. Swan – પંજાબમાં સ્થાપિત 100 અદ્યતન વેધર સ્ટેશન્સનું નેટવર્ક.
2. ACE – AI સંચાલિત બહુભાષી ચેટ પ્લેટફોર્મ.
3. IIT રોપર – ANNAM.AI ઇકોસિસ્ટમ લોન્ચ કરનાર સંસ્થા.
ઉપરનાં પૈકી કયાં જોડકાં સાચાં છે ?
8) કોણાર્ક સૂર્ય મંદિરના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. આ મંદિરનું નિર્માણ પૂર્વ ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.
2. તેને વર્ષ 1984માં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું.
3. તાજેતરમાં ASI દ્વારા તેના ‘જગમોહન’ હોલમાંથી વર્ષો જૂની રેતી કાઢવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
11) 'ભારત મેરિટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ' (BMI પૂલ) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેની સ્થાપના માટે ₹ 12,980 કરોડની સોવરેન ગેરન્ટીને મંજૂરી આપવામાં આવી છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી વીમાકંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
3. આ વીમાકવચ માત્ર સરકારી જહાજોને જ પૂરું પાડવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાન/વિધાનો ખોટાં છે ?
14) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે PMGSY-III યોજનાની સમયમર્યાદા લંબાવવા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મેદાની વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ માટેની સમયમર્યાદા માર્ચ, 2028 સુધી લંબાવી છે.
2. પહાડી વિસ્તારોમાં પુલ માટેની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે.
3. આ યોજનાની સુધારેલી કુલ ખર્ચ-જોગવાઈ ₹ 83,977 કરોડ કરવામાં આવી છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
15) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલા એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ (ECL) ફ્રેમવર્ક સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ ફ્રેમવર્ક 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.
2. આ મોડેલ એક ભવિષ્યલક્ષી (Forward-looking) અભિગમ છે, જેમાં બેન્કોએ લોન આપતી વખતે જ ડિફોલ્ટની સંભાવનાને આધારે અગાઉથી નાણાં અલગ રાખવા પડશે.
3. તબક્કા 1 (Stage 1) હેઠળ ન્યૂનતમ જોખમ ધરાવતી સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે બેન્કોએ આજીવન (Lifetime) ECLની જોગવાઈ કરવી પડશે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
16) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે PMGSY-III યોજનાની સમયમર્યાદા લંબાવવા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મેદાની વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ માટેની સમયમર્યાદા માર્ચ, 2028 સુધી લંબાવી છે.
2. પહાડી વિસ્તારોમાં પુલ માટેની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે.
3. આ યોજનાની સુધારેલી કુલ ખર્ચ-જોગવાઈ ₹ 83,977 કરોડ કરવામાં આવી છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
20) વનતારા યુનિવર્સિટી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તે વન્યજીવ સંરક્ષણ માટે વિશ્વની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ યુનિવર્સિટી છે.
2. આ યુનિવર્સિટી ગુજરાતના જામનગરમાં શરૂ કરવામાં આવશે.
કયાં વિધાનો સાચાં છે ?
21) NCERTને 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' જાહેર કરવા અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. UGC એક્ટ, 1956ની કલમ 3 મુજબ આ દરજ્જો આપવામાં આવ્યો છે.
2. આ દરજ્જામાં NCERTની સાથે તેની 6 ઘટક સંસ્થાઓ (RIE)નો પણ સમાવેશ થાય છે.
3. હવે NCERT સ્વતંત્ર રીતે પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરી શકશે અને ડિગ્રી એનાયત કરી શકશે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
27) ‘પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ રૂલ્સ, 2026’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ નિયમો હેઠળ ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI)ની સ્થાપના કરવામાં આવી છે.
2. OGAIના અધ્યક્ષ તરીકે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY)ના સચિવ હોદ્દાની રૂએ સેવા આપશે.
3. ઓનલાઇન ગેમ્સને આપવામાં આવતા ડિજિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની માન્યતા 10 વર્ષ સુધીની રહેશે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
29) પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે તમિલનાડુના કલ્પક્કમ ખાતે આવેલું ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિએક્ટર છે.
2. તેની ઊર્જાક્ષમતા 500 મેગાવોટ ઇલેક્ટ્રિક (MWe) છે.
3. આ રિએક્ટર સોડિયમ-કૂલ્ડ અને પૂલ-ટાઇપ પ્રકારનું છે.
4. કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ઓપરેટ કરનારો ભારત વિશ્વનો ત્રીજો દેશ છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
32) NCERTને 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' જાહેર કરવા અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. UGC એક્ટ, 1956ની કલમ 3 મુજબ આ દરજ્જો આપવામાં આવ્યો છે.
2. આ દરજ્જામાં NCERTની સાથે તેની 6 ઘટક સંસ્થાઓ (RIE)નો પણ સમાવેશ થાય છે.
3. હવે NCERT સ્વતંત્ર રીતે પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરી શકશે અને ડિગ્રી એનાયત કરી શકશે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
35) વનતારા યુનિવર્સિટી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તે વન્યજીવ સંરક્ષણ માટે વિશ્વની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ યુનિવર્સિટી છે.
2. આ યુનિવર્સિટી ગુજરાતના જામનગરમાં શરૂ કરવામાં આવશે.
કયાં વિધાનો સાચાં છે ?
36) SIPRI દ્વારા પ્રકાશિત ‘ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2025’ રિપોર્ટ અનુસાર નીચેનાં વિધાનો ચકાસો.
1. વર્ષ 2025માં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોની યાદીમાં USA પ્રથમ ક્રમે છે.
2. ભારત 92.1 અબજ US ડોલરના કુલ ખર્ચ સાથે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
3. ગત વર્ષની સરખામણીએ ભારતના સૈન્ય ખર્ચમાં 8.9%નો વધારો નોંધાયો છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
37) તાજેતરમાં હસ્તાક્ષર થયેલા ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (IN-NZ FTA)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ કરાર હેઠળ ભારતને ન્યૂઝીલેન્ડ માટેની તમામ 8284 ટેરિફ લાઇન પર 100% ડ્યુટી-ફ્રી એક્સેસ પ્રાપ્ત થઈ છે.
2. સ્થાનિક હિતોના રક્ષણ માટે ડેરી ઉત્પાદનો (જેવા કે દૂધ, ચીઝ વગેરે)ને આ કરારથી મુક્ત (બાકાત) રાખવામાં આવ્યા છે.
3. ન્યૂઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને સ્ટાર્ટઅપ્સમાં 20 અબજ USDના રોકાણની ખાતરી આપી છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
41) નીતિ (NITI) આયોગ અને તેના પદાધિકારીઓ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં ડો. અશોક લાહિરીએ નીતિ આયોગના વાઇસ-ચેરમેન તરીકે સુમન બેરીનું સ્થાન લીધું છે.
2. નીતિ આયોગના અધ્યક્ષ તરીકે ભારતના વડા પ્રધાન ફરજ બજાવે છે.
3. નીતિ આયોગની રચના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી છે અને તે બંધારણીય સંસ્થા નથી.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
42) OPEC (ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) સંગઠન સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મે, 2026થી OPEC અને OPEC+માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.
2. OPECની સ્થાપના સપ્ટેમ્બર, 1960માં ઇરાકના બગદાદ કોન્ફરન્સ ખાતે થઈ હતી.
3. UAE એ OPECના 5 સ્થાપક દેશોમાં એક દેશ છે.
ઉપરોક્ત પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે ?
45) 'મેમ્રિસ્ટર' (Memristor) ટેક્નોલોજી બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે 'મેમરી' અને 'રેઝિસ્ટર' શબ્દોના સંયોજનથી બનેલું ઉપકરણ છે.
2. તે પાવર સપ્લાય બંધ થયા પછી પણ સંગ્રહિત માહિતી ગુમાવતું નથી.
3. તે માહિતીનો સંગ્રહ અને પ્રોસેસિંગ બંને એકસાથે કરી શકે છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
- 1
- 2
Comments (0)