માર્ચ 2026
102) ઇન્ડિયા એનર્જી વીક (IEW) 2026 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. IEW 2026નું આયોજન ગોવા ખાતે ONGCના એડવાન્સ્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યું હતું.
2. આ ઇવેન્ટમાં રિલાયન્સની જામનગર SEZ રિફાઇનરીએ 'રિફાઇનરી ઓફ ધી યર' એવોર્ડ જીત્યો છે.
3. વર્ષ 2026ની થીમ 'Net Zero India' રાખવામાં આવી હતી.
110) ભારતની ઑફશોર વિન્ડ એનર્જી (Offshore Wind Energy) ક્ષમતા અને નીતિ વિશે વિધાનો ચકાસો.
1. NIWE મુજબ ભારત 70 GWથી વધુની ઓફશોર વિન્ડ ક્ષમતા ધરાવે છે.
2. નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી વર્ષ 2015માં જાહેર કરવામાં આવી હતી.
3. સરકારે આ પ્રોજેક્ટ્સ માટે 7453 કરોડના વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF)ને મંજૂરી આપી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
112) UN-SALW ટ્રેનિંગ પ્રોગ્રામ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. એશિયા-પેસિફિક રીજનનો પ્રથમ UN-SALW ટ્રેનિંગ પ્રોગ્રામ મધ્ય પ્રદેશના જબલપુર ખાતે યોજાયો હતો.
2. આ કાર્યક્રમનું આયોજન યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિસઆર્મામેન્ટ અફેર્સ (UNODA) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. 'સ્મોલ આર્મ્સ' (small Arms) એટલે એવા હથિયારો જે 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
113) ભારત કન્ટેનર શિપિંગ લાઇન (BCSL) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ સ્થાપવામાં આવનાર દેશનું પ્રથમ રાજ્ય-સમર્થિત રાષ્ટ્રીય કન્ટેનર કેરિયર છે.
2. આ સંસ્થામાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CONCOR) બંને 30-30% હિસ્સેદારી ધરાવે છે.
૩. તેની સ્થાપના કન્ટેનર મેન્યુફેક્ચરિંગ આસિસ્ટન્સ સ્કીમ (CMAS) સાથે સુસંગત છે, જેનું બજેટ રૂ. 10,000 કરોડ છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
114) NHAIની 'બી કોરીડોર' (Bee Corridor) પહેલ બાબતે કયા વિધાનો સાચાં છે ?
1. આ ભારતની પ્રથમ બી કોરીડોર પહેલ છે જેનો ઉદ્દેશ પરાગણો (Pollinators) પરના ઇકોલોજીકલ તણાવને ઘટાડવાનો છે.
2. વર્ષ 2026 2027 દરમિયાન NHAI દ્વારા વવાનાર 40 લાખ વૃક્ષોમાંથી 60% આ પહેલ હેઠળ હશે.
3. આ યોજના હેઠળ નેશનલ હાઇવેની આસપાસ મધમાખીઓને અનુકૂળ ફૂલોનાં વૃક્ષો વાવવામાં આવશે.
115) ગ્રાફીન (Graphene) અને તેની પોલિસી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. કેરળ ગ્રાફીન પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
2. ગ્રાફીન એ કાર્બનનું દ્વિ-પરિમાણીય (2D) અપરરૂપ છે જે ષટ્કોણીય જાળીદાર રચના ધરાવે છે.
3. ગ્રાફીન સ્ટીલ કરતાં આશરે 200 ગણું નબળું અને વિધુતનું અવાહક હોય છે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
116) પૂર્વોત્તરની પ્રથમ ઇમર્જન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ફેસિલિટીનું ઉદ્ઘાટન અસમના દિબ્રુગઢમાં કરવામાં આવ્યું છે.
2. વડાપ્રધાન આ લેન્ડિંગ ફેસિલિટી ખાતે C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા ઊતર્યા હતા.
3. બ્રહ્મપુત્રા નદી પર બનેલા 'કુમાર ભાસ્કર વર્મા સેતુ' માં રીઅલ-ટાઇમ બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ છે.
117) ગગનયાન મિશન માટે 'ડ્રોગ પેરાશૂટ' (Drogue Parachute)નો ટેસ્ટ કઈ લેબોરેટરીમાં કરવામાં આવ્યો હતો ?
128) NSO દ્વારા પ્રસ્તાવિત 'સ્થળાંતર સર્વે' અંગે કયાં વિધાનો સાચાં છે ?
1. આ સર્વે જુલાઈ, 2026થી જૂન, 2027 દરમિયાન હાથ ધરવાનો પ્રસ્તાવ છે.
2. વર્ષ 2007-08 પછી આ પ્રકારનો આ પ્રથમ સ્વતંત્ર અને સંપૂર્ણ વર્ષનો સર્વે હશે.
3. PLFS 2020-21 મુજબ ભારતમાં સ્ત્રીઓમાં સ્થળાંતરદર 10.7% છે.
135) એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજનાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને તે 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ' છે.
2. તાજેતરમાં તેનો લોન-લક્ષ્યાંક 1 લાખ કરોડથી વધારીને 2 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
3. તેમાં 2 કરોડ સુધીની લોન પર વાર્ષિક 5% વ્યાજસહાય આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
136) કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ્' કરવાની પ્રક્રિયા સંદર્ભે કયા વિધાનો યોગ્ય છે ?
1. બંધારણના અનુચ્છેદ ૩ હેઠળ સંસદને રાજ્યોના નામમાં ફેરફાર કરવાની સત્તા છે.
2. રાજ્યનું નામ બદલવા માટેનું બિલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદમાં રજૂ કરી શકાય છે.
૩. ‘કેરલમ્' શબ્દનો ઉલ્લેખ સમ્રાટ અશોકના શિલાલેખ –II માં ‘કેતાલાપુતો’ તરીકે જોવા મળે છે.
4. રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાદી બહુમતીની જરૂર હોય છે.
137) નેશનલ શિપબિલ્ડિંગ ઍન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક (NSHIP) બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ પાર્કની સ્થાપના તામિલનાડુના થૂથુકુડી ખાતે કરવામાં આવી છે.
2. તે VOC પોર્ટ અને SIPCOT વચ્ચેની 50:50ની ભાગીદારી ધરાવતો સંયુક્ત ઉદ્યમ છે.
3. આ પાર્ક અંદાજે 2,000 એકર વિસ્તારમાં ફેલાયેલો એક 'ગ્રીનફિલ્ડ ક્લસ્ટર' છે.
138) 'ઓપરેશન વિન્ડલોર્ડ' અને માઇક્રો-ન્યુક્લિયર રિએક્ટર બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અમેરિકા દ્વારા માઇક્રો-ન્યુક્લિયર રિએક્ટરનું પ્રથમ હવાઈ પરિવહન કરવાનું મિશન હતું.
2. આ મિશનમાં C-17 ગ્લોબમાસ્ટર III કાર્ગો એરક્રાફ્ટનો ઉપયોગ કરીને 'વોર્ડ 250' માઇક્રોરીએક્ટરનું વહન કરાયું હતું.
૩. માઇક્રો રિએક્ટર સામાન્ય રીતે 1,000 MW કે તેથી વધુ ઊર્જાનું ઉત્પાદન કરે છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :
140) 'ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026' વિજેતા રૂબલ નાગી (Rouble Nagi) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તેઓ રણજિતસિંહ દિસાલે બાદ આ પુરસ્કાર જીતનારા બીજા ભારતીય છે.
2. તેમણે સામાજિક કાર્ય માટે 'રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશન' (RNAF)ની સ્થાપના કરી છે.
૩. ગ્લોબલ ટીચર પ્રાઇઝને 'શિક્ષણના નોબેલ પ્રાઇઝ' તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
144) ભારતની નવી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ 'PRAHAAR' અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ નીતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. તેનો મુખ્ય સિદ્ધાંત 'ઝીરો ટોલરન્સ ટોવર્ડ્સ ટેરરિઝમ' છે.
3. આ નીતિમાં 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ' અને 'હોલ-ઓફ-સોસાયટી' અભિગમ અપનાવવામાં આવ્યો છે.
4. આ નીતિ ઘડવા પાછળ એપ્રિલ, 2025ની પહેલગામ આતંકવાદી ઘટના મુખ્ય પ્રેરકબળ છે.
Comments (0)