GSSSB : કસોટી મુલતવી રાખવા અંગે સુચના
Last Updated :25, Aug 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તાંત્રિક અને બિન-તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓમાં જે સંવર્ગ માટે પરીક્ષાના ઉમેદવારોની સંખ્યા વધુ હોય ત્યારે તેવા સંવર્ગની પરીક્ષા એક થી વધુ સેશનમાં લેવામાં આવતી હોય છે. જ્યારે એક થી વધુ સેશનમાં પરીક્ષા લેવાય ત્યારે તમામ સેશનમાં પ્રશ્નપત્ર અલગ – અલગ હોય છે. દરેક ઉમેદવારને સમાન તક મળે અને કોઇ અન્યાય ન થાય તે માટે અન્ય ભરતી પરીક્ષાઓમાં સર્વસ્વીકૃત નોર્મલાઇઝેશન પદ્ધતિથી પરિણામ બનાવવામાં આવે છે. મંડળ દ્વારા લેવામાં આવતી એકથી વધુ સેશન વાળી પરીક્ષા માટે નોર્મલાઇઝેશનની Mean Standard Deviation Method (સરેરાશ પ્રમાણભૂત વિચલન પદ્ધતિ) અપનાવવામાં આવેલ છે. જેની ફોર્મ્યુલા નીચે મુજબ છે.
Comments (0)