માર્ચ 2026
3) વર્લ્ડ કેન્સર ડે અને ભારતની પ્રથમ કેન્સર માર્ગદર્શિકા બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. વર્લ્ડ કેન્સર ડે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.
2. વર્ષ 2025-2027 માટેની થીમ 'યુનાઇટેડ બાય યુનિક' છે.
3. ભારતની પ્રથમ સ્વદેશી માર્ગદર્શિકા 'લન્ગ કેન્સર' (ફેફસાના કેન્સર)ની સારવાર માટે જાહેર કરવામાં આવી છે.
5) 'એક્સર્સાઇઝ મિલન 2026' સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનો બહુપક્ષીય નૌસેના યુદ્ધાભ્યાસ છે જે ભારતીય નૌસેના દ્વારા દર 2 વર્ષે યોજાય છે.
2. વર્ષ 2026માં તેની 13મી આવૃત્તિ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી.
૩. આ વર્ષની થીમ ‘કેમરેડરી, કો-ઓપરેશન, કોલેબરેશન' રાખવામાં આવી હતી.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
7) કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય ગાન (National Song) ને રાષ્ટ્રીગીત (National Anthem) નાં નવા પ્રોટોકોલ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. જો કોઈ કાર્યક્રમમાં વંદે માતરમ્ અને જન ગણ મન બંને રજૂ કરવાનાં હોય, તો પ્રથમ રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાવું જોઈએ.
2. 'વંદે માતરમ્'નાં સંપૂર્ણ 6 પદો ધરાવતી આવૃત્તિ ગાવા માટેનો અંદાજિત સમય 3 મિનિટ અને 10 સેકન્ડ રહેશે.
3. લશ્કરી કે પોલીસ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ પૂર્વે 7 ડગલાંના તાલ સાથે “ડ્રમ રોલ” વગાડવો અનિવાર્ય છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
16) નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન 2.0 (NMP 2.0) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. NMP 2.0 ની જાહેરાત કેન્દ્રીય બજેટ 2025-2026માં કરવામાં આવી છે.
2. આ યોજનાનો સમયગાળો 5 વર્ષ (2025-2026થી 2029-2030) માટેનો છે.
3. તેનો કુલ લક્ષ્યાંક 16.72 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે.
4. આ પ્રોજેક્ટ માટે નીતિ આયોગ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.
18) ભારત-UK દ્વિપક્ષીય સામાજિક સુરક્ષા કરાર (SSA)ના ફાયદા કયા છે ?
1. તે બેવડા સામાજિક સુરક્ષા યોગદાનની નાબૂદી કરે છે.
2. ભારતીય કામદારોએ આ માટે EPFOમાંથી ' સર્ટિફિકેટ ઓફ કવરેજ' (COC) મેળવવું અનિવાર્ય છે.
3. તે નિવૃત્તિ પછીના પેન્શન લાભોને સુરક્ષિત કરે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
21) ભગવાન બુદ્ધના પવિત્ર 'દેવની મોરી' અવશેષોના પ્રદર્શન સંદર્ભે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ અવશેષોનું પ્રદર્શન શ્રીલંકાના કોલંબોમાં ગંગારામાયા. મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
2. દેવની મોરી અવશેષોનું, ભારતની બહાર આ પ્રથમ જાહેર પ્રદર્શન છે.
૩. દેવની મોરી એ ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્વો નદી કિનારે આવેલું સ્થળ છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :
27) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. આ પ્રચંડ હેલિકોપ્ટર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે સ્વદેશી રીતે વિકસિત લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) છે.
2. તેને અદાણી ડિફેન્સ દ્વારા ડિઝાઈન અને વિકસાવવામાં આવ્યુ છે.
3. તેનું 5.8 ટન મહત્તમ ટેક–ઓફ વજન છે. તથા તેમાં ટ્વીન–એન્જિન ‘શક્તિ’ લગાવવામાં આવ્યું છે, જે મુખ્યત્વે ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉપયોગ માટે રચાયેલ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
31) NITI (National Institution for Transforming India) આયોગ વિષે નીચેનામાંથી ક્યું વિધાન અયોગ્ય નથી ?
1. 1.જાન્યુઆરી 2016થી આયોજન પંચના સ્થાને તેની શરૂઆત કરવામાં આવી હતી.
2. તે ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે.
3. તેના ઉપાધ્યક્ષ હોદાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને CEOની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
ઉપરોક્ત વાક્યો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
33) 'પ્રોજેક્ટ વોલ્ટ' (Project Vault)ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો.
1. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ખનીજો માટે વિદેશી દેશો વિશેની USAની નિર્ભરતા ઘટાડવાનો છે.
2. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 12 અબજ US ડોલરનું કુલ ફન્ડિંગ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
૩. આ પ્રોજેક્ટમાં ઉત્પાદકો માટે 60 દિવસનો ઇમરજન્સી સપ્લાય બફર જાળવવામાં આવશે.
ઉપર આપેલ વિધાનોમાંથી કયાં વિધાનો સાચાં છે ?
35) સ્ટાર્ટઅપ રેકગ્નિશન ફ્રેમવર્ક અંગે નીચેના વિધાનો ધ્યાને લો.
1. સામાન્ય સ્ટાર્ટઅપ માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા 100 કરોડથી વધારી 200 કરોડ કરવામાં આવી છે.
2. પ્રથમ વખત સહકારી મંડળીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવાનું નક્કી કરાયું છે.
3. ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે વાર્ષિક ટર્નઓવર મર્યાદા 300 કરોડ સુધીની છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
43) મિલાનો કોર્ટિના 2026 વિન્ટર ઓલિમ્પિક્સ બાબતે કશું વિધાન સાચું છે ?
1. નોર્વે મેડલ ટેલીમાં 41 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું છે.
2. 'સ્કી માઉન્ટેનિયરિંગ' રમતે આ ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું છે.
૩. આ બે શહેરો દ્વારા સંયુક્ત રીતે હોસ્ટ કરવામાં આવેલી પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ છે.
4. ભારતે આ ગેમ્સમાં પોતાનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
45) ઓલ ચિકી (Ol Chiki) લિપિ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. ઓલ ચિકી એ સંથાલી ભાષા લખવા માટેની સત્તાવાર લિપિ છે, જેની શોધ પંડિત રઘુનાથ મુમૂએ કરી હતી.
2. આ લિપિમાં કુલ 50 અક્ષરો છે જે જમણેથી ડાબે લખાય છે.
૩. સંથાલી ભાષાને વર્ષ 2003માં બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી હતી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
Comments (0)