26 થી 31 મે 2026 નું કરંટ અફેર્સ
3) પાર્ટનરશિપ ફોર હેલ્ધી સિટિઝ (PHC) નેટવર્ક વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે બિન-ચેપી રોગો (NCDs) અને ઇજાઓનું પ્રમાણ ઘટાડવા માટે કાર્યરત 70થી વધુ શહેરોનું નેટવર્ક છે.
2. મુંબઈ, અમદાવાદ અને બેંગલુરુ આ નેટવર્કનો ભાગ છે.
સાચાં વિધાન પસંદ કરો :
4) 'રોઝાલિન્ડ ફ્રેન્કલીન' રોવર મિશન બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ રોવર ESA અને NASA દ્વારા મંગળ પર જીવનની શોધ માટેનો સંયુક્ત કાર્યક્રમ છે.
2. તેને વર્ષ 2028માં સ્પેસએક્સના 'ફાલ્કન હેવી' રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
3. જો આ મિશન સફળ રહેશે, તો તે મંગળની સપાટી પર 2 મીટર ઊંડાઈએ જઈને જીવનની શોધ કરનાર વિશ્વનું પ્રથમ રોવર બનશે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
8) શ્રીલંકામાં વસતા ભારતીય સમુદાય માટે OCI કાર્ડની પાત્રતા હવે કેટલામી પેઢી સુધી લંબાવવામાં આવી છે ?
9) સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. એશિયાનો સૌપ્રથમ EPZ વર્ષ 1965માં ગુજરાતના કંડલા ખાતે સ્થપાયો હતો.
2. વેપારના હેતુ માટે SEZ વિસ્તારને ભારતની બહારનો 'વિદેશી પ્રદેશ' (Foreign Territory) માનવામાં આવે છે.
3. ભારતમાં SEZનું નિયમન 'સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ, 2005' દ્વારા થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
14) એપ્રિલ, 2026માં યોજાયેલી RBIની 60મી MPC બેઠક મુજબ નીચેના દરો અને તેની ટકાવારીની જોડીઓ તપાસો.
1. રેપો રેટ — 5.25%
2. રિવર્સ રેપો રેટ — 3.35%
3. કેશ રિઝર્વ રેશિયો (CRR) — 3.00%
4. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR) — 18.00%
ઉપરનામાંથી કેટલી જોડીઓ સાચી છે ?
15) અમૂલ (AMUL) બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેની સ્થાપના વર્ષ 1946માં આણંદ ખાતે કરવામાં આવી હતી.
2. તેની સ્થાપના સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈના માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
3. અમૂલનું સંચાલન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા થાય છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
16) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ધિરાણ આપવા કરવામાં આવી હતી.
2. મુદ્રા (MUDRA) બેન્ક ગ્રાહકોને સીધું ધિરાણ પૂરું પાડે છે.
3. આ એજન્સી નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે અને તે SIDBIની પેટા-કંપની છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
23) e-NAM પ્લેટફોર્મ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. માર્ચ, 2026 સુધીમાં 1,656 APMC મંડીઓને આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે.
2. આ એપ મારફતે 500થી વધુ ચીજવસ્તુઓની કિંમતોની માહિતી પૂરી પાડવામાં આવે છે.
3. આ પ્લેટફોર્મ AIથી સક્ષમ ગુણવત્તા આકારણી પ્રણાલી ધરાવે છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
24) 'NARIT AI' સંબંધિત નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે નાર્કોટિક્સના કેસો માટે ભારતની પ્રથમ AI સિસ્ટમ છે.
2. આ ટૂલ સંપૂર્ણપણે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થતી માહિતી પર આધારિત છે.
3. તે Retrieval Augmented Generation (RAG) ટેક્નોલોજી પર કાર્ય કરે છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Comments (0)