જૂન 2026
2) ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. વર્ષ 2026માં ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરની મુલાકાત છેલ્લા 42 વર્ષમાં કોઈ ઓસ્ટ્રિયન ચાન્સેલરની પ્રથમ ભારત મુલાકાત હતી.
2. બંને દેશોએ રોકાણને સરળ બનાવવા માટે ‘દ્વિપક્ષીય ફાસ્ટ-ટ્રેક મિકેનિઝમ’ (FTM) લોન્ચ કર્યું છે.
3. વર્ષ 2026માં વિયેના ખાતે દ્વિપક્ષીય સ્પેસ ઇન્ડસ્ટ્રી સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
11) બ્રહ્મોસ મિસાઈલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. બ્રહ્મોસ મિસાઈલ એ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. તેને જળ, જમીન અને હવામાંથી એટલે કે સબમરીન, જહાજ અને એરક્રાફ્ટથી લોન્ચ કરી શકાય છે.
2. બ્રહ્મોસ મિસાઈલ એ NPO Mashinostroyenia અને ભારતના DRDOનું વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
3. ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદીના નામ પરથી આ મિસાઈલનું નામ બ્રહ્મોસ રાખવામાં આવ્યું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
12) ANNAM.AI (એલાયન્સ ફોર નેક્સ્ટ-જેન નરિશમેન્ટ થ્રુ એગ્રિકલ્ચર મોડર્નાઇઝેશન)ના સંદર્ભમાં નીચેનાં જોડકાં ધ્યાને લો.
1. Swan – પંજાબમાં સ્થાપિત 100 અદ્યતન વેધર સ્ટેશન્સનું નેટવર્ક.
2. ACE – AI સંચાલિત બહુભાષી ચેટ પ્લેટફોર્મ.
3. IIT રોપર – ANNAM.AI ઇકોસિસ્ટમ લોન્ચ કરનાર સંસ્થા.
ઉપરનાં પૈકી કયાં જોડકાં સાચાં છે ?
14) કોણાર્ક સૂર્ય મંદિરના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. આ મંદિરનું નિર્માણ પૂર્વ ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું.
2. તેને વર્ષ 1984માં યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું.
3. તાજેતરમાં ASI દ્વારા તેના ‘જગમોહન’ હોલમાંથી વર્ષો જૂની રેતી કાઢવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
21) 'ભારત મેરિટાઇમ ઇન્શ્યોરન્સ પૂલ' (BMI પૂલ) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેની સ્થાપના માટે ₹ 12,980 કરોડની સોવરેન ગેરન્ટીને મંજૂરી આપવામાં આવી છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી વીમાકંપનીઓ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
3. આ વીમાકવચ માત્ર સરકારી જહાજોને જ પૂરું પાડવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાન/વિધાનો ખોટાં છે ?
25) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે PMGSY-III યોજનાની સમયમર્યાદા લંબાવવા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મેદાની વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ માટેની સમયમર્યાદા માર્ચ, 2028 સુધી લંબાવી છે.
2. પહાડી વિસ્તારોમાં પુલ માટેની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે.
3. આ યોજનાની સુધારેલી કુલ ખર્ચ-જોગવાઈ ₹ 83,977 કરોડ કરવામાં આવી છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
26) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરવામાં આવેલા એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ (ECL) ફ્રેમવર્ક સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. આ ફ્રેમવર્ક 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.
2. આ મોડેલ એક ભવિષ્યલક્ષી (Forward-looking) અભિગમ છે, જેમાં બેન્કોએ લોન આપતી વખતે જ ડિફોલ્ટની સંભાવનાને આધારે અગાઉથી નાણાં અલગ રાખવા પડશે.
3. તબક્કા 1 (Stage 1) હેઠળ ન્યૂનતમ જોખમ ધરાવતી સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે બેન્કોએ આજીવન (Lifetime) ECLની જોગવાઈ કરવી પડશે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન સાચું/સાચાં છે?
27) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે PMGSY-III યોજનાની સમયમર્યાદા લંબાવવા અંગે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મેદાની વિસ્તારોમાં રસ્તાઓ અને પુલ માટેની સમયમર્યાદા માર્ચ, 2028 સુધી લંબાવી છે.
2. પહાડી વિસ્તારોમાં પુલ માટેની કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે.
3. આ યોજનાની સુધારેલી કુલ ખર્ચ-જોગવાઈ ₹ 83,977 કરોડ કરવામાં આવી છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
34) વનતારા યુનિવર્સિટી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તે વન્યજીવ સંરક્ષણ માટે વિશ્વની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ યુનિવર્સિટી છે.
2. આ યુનિવર્સિટી ગુજરાતના જામનગરમાં શરૂ કરવામાં આવશે.
કયાં વિધાનો સાચાં છે ?
36) NCERTને 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' જાહેર કરવા અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. UGC એક્ટ, 1956ની કલમ 3 મુજબ આ દરજ્જો આપવામાં આવ્યો છે.
2. આ દરજ્જામાં NCERTની સાથે તેની 6 ઘટક સંસ્થાઓ (RIE)નો પણ સમાવેશ થાય છે.
3. હવે NCERT સ્વતંત્ર રીતે પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરી શકશે અને ડિગ્રી એનાયત કરી શકશે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
40) રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ–6 (NFHS-6) (2023-24) અંગે કયું/કયા વિધાન સાચા છે ?
1. ભારતનો કુલ પ્રજનન દર (TFR) 2.0 પર સ્થિર થયો છે, જે વસ્તી સ્થિરતાનો સંકેત આપે છે.
2. ભારતમાં ઇન્ટરનેટ વાપરતી મહિલાઓનું પ્રમાણ અગાઉના સર્વે કરતાં ઘટી ગયું છે.
3. પોતાનું બેંક ખાતું ધરાવતી અને પોતે સંભાળતી મહિલાઓનું પ્રમાણ વધીને 89.0% થયું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
45) ‘પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ રૂલ્સ, 2026’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ નિયમો હેઠળ ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI)ની સ્થાપના કરવામાં આવી છે.
2. OGAIના અધ્યક્ષ તરીકે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY)ના સચિવ હોદ્દાની રૂએ સેવા આપશે.
3. ઓનલાઇન ગેમ્સને આપવામાં આવતા ડિજિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની માન્યતા 10 વર્ષ સુધીની રહેશે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
Comments (0)