ફેબ્રુઆરી 2026
102) K-4 મિસાઈલ અંગે નીચેના વિધાનો તપાસો,
1. તે સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ (SLBM) છે.
2. તેની પ્રહાર ક્ષમતા (રેન્જ) 5,000 કિમી છે.
3. તેનું નામ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ પરથી રાખવામાં આવ્યું છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
103) પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય બાબતો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. બલ્ગેરિયા યુરો (EUR) અપનાવનાર 21મો દેશ બન્યો છે.
2. એમેઝોનની ડંખ વગરની મધમાખીને કાયદાકીય અધિકારો આપનાર પેરુ વિશ્વાનો પ્રથમ દેશ છે.
3. ડંખ વગરની મધમાખીના મધને તેના ઔષધીય ગુણોને કારણે 'લિક્વિડ સિલ્વર' કહેવામાં આવે છે.
સાચું વિધાન પસંદ કરો :
104) નેશનલ એન્વાયર્મેન્ટલ સ્ટાન્ડર્ડ લેબોરેટરી (NESL) અને સોલાર સેલ કેલિબ્રેશન ફેસિલિટી બાબતે નીચેનાં વિધાનો વિચારો.
1. ભારતે વિશ્વની બીજી નેશનલ એન્વાયર્મેન્ટલ સ્ટાન્ડર્ડ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે.
2. સોલાર સેલ કેલિબ્રેશન માટે સ્ટાન્ડર્ડ ફેસિલિટી ધરાવતો ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે.
3. આ ફેસિલિટી નવી દિલ્હીમાં CSIR-NPL ખાતે સ્થાપિત કરવામાં આવી છે.
સાચાં વિધાન/વિધાનો પસંદ કરો :
105) ભારત - જાપાન સંબંધો અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. તાજેતરમાં નવી દિલ્હીમાં 18મી ભારત-જાપાન વ્યૂહાત્મક મંત્રણા યોજાઈ હતી.
2. ભારત અને જાપાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડાયલોગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
3. વર્ષ 2027માં ભારત અને જાપાન રાજદ્વારી સંબંધોનાં 50 વર્ષની ઉજવણી કરશે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
106) ભારતના પ્રથમ ઓપન-સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્રોજેક્ટ આંદામાન સમુદ્રમાં શ્રી વિજય પુરમ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
2. આ પ્રોજેક્ટનું સંચાલન પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
3. આ પ્રોજેક્ટમાં કોબિયા અને સીબાસ જેવી માછલીઓના સંવર્ધન માટે સ્વદેશી 'ઓપન-સી કેજ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
108) ”ગ્લોબલ ચેસ લીગ 2025' (TechM GCL) વિષે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. આ લીગનું આયોજન પ્રથમ વખત ભારતમાં (મુંબઈમાં) કરવામાં આવ્યું હતું.
2. તે વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ચેસ લીગ છે.
3. ત્રીજી ગ્લોબલ ચેસ લીગમાં ‘એલ્પાઇન SG પાઇપર્સ' ટીમ વિજેતા બની હતી.
સાચો વિકલ્પ પસંદ કરો :
116) છારી-ટંટ વેટલેન્ડ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તે કચ્છ જિલ્લાના બની ઘાસનાં મેદાનો અને કચ્છના રણની ધાર પર આવેલું છે.
2. 'છારી'નો અર્થ 'છીછરી ભીની જમીન' અને 'ઢંઢ'નો અર્થ 'ખારી' થાય છે.
3. તેને વર્ષ 2008માં કન્ઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
117) ઇન્ડિયન સ્કિમર (જળહળ) પક્ષી અને તેના સંરક્ષણ પ્રોજેક્ટ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો.
1. ગંગાના તટપ્રદેશમાં આ પક્ષીઓના રક્ષણ માટે નવો પ્રોજેક્ટ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે.
2. ઇન્ડિયન સ્કિમરની નીચેની ચાંચ ઉપરની ચાંય કરતાં ટૂંકી હોય છે.
3. IUCN રેડ લિસ્ટમાં આ પક્ષીને 'સંકટગ્રસ્ત' (Endangered) શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.
4. વિશ્વમાં ઇન્ડિયન સ્કિમરની લગભગ 90% વસતિ ભારતમાં જોવા મળે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
118) ભારતીય સેનાની 'ભૈરવ' (Bhairav) ફોર્સ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે 1 લાખથી વધુ ડ્રોન ઓપરેટિવ્સ ધરાવતી મોડર્ન વોરફેર ફોર્સ છે.
2. 15. જાન્યુઆરી, 2026ના રોજ જયપુર ખાતે યોજાયેલી 78મી આર્મી ડે પરેડમાં 'ડેઝર્ટ ફાલ્કન્સ' બટાલિયને ભાગ લીધો હતો.
3. આ ફોર્સનો મુખ્ય હેતુ પરંપરાગત યુદ્ધપદ્ધતિને પ્રોત્સાહન આપવાનો છે.
કયાં વિધાનો સાચાં છે ?
119) વિજય હઝારે ટ્રોફી 2025-2026 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું છે.
2. અમન મોખડેને 'પ્લેયર ઓફ ઘી ટૂર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.
3. વિરાટ કોહલી લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 16,000 રન કરનાર ખેલાડી બન્યા છે.
4. કર્ણાટક અને તામિલનાડુ આ ટૂનમિન્ટ સૌથી વધુ 5-5 વાર જીતનાર ટીમો છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
120) “Anti-Coercion Instrument” (ACI) અથવા “બઝૂકા” વિષે નીચેના વિધાનો ધ્યાને લો.
1. તે યુરોપીયન યુનિયન (EU)ની એક કાયદાકીય વેપાર-સંરક્ષણ વ્યવસ્થા છે.
2. તેનો ઉપયોગ ગ્રીનલેન્ડના મુદ્દે અમેરિકાના આર્થિક દબાણ સામે કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આગ્રહ કર્યો હતો.
3. આ વ્યવસ્થા હેઠળ EU ચીજવસ્તુઓ પર આયાત/નિકાસ પ્રતિબંધો લાદી શકે છે.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
121) સુપ્રીમ કોર્ટના ‘માસિક ધર્મ સ્વચ્છતાના અધિકાર' અંગેના ચુકાદા (2026) સંદર્ભે નીચેનાં વિધાનો વિચારો.
1. સુપ્રીમ કોર્ટે તેને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ 'જીવવાના અધિકાર'નો અભિન્ન ભાગ ગણાવ્યો છે.
2. આ ચુકાદો ડો. જયા ઠાકુર વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપવામાં આવ્યો હતો.
3. કોર્ટે તમામ શાળાઓમાં ધોરણ 1થી 12ની છોકરીઓ માટે મફ્ત સેનિટરી નેપકિન્સ આપવાનો આદેશ આપ્યો છે.
નીચેનાંમાંથી સાચું/સાચાં વિધાન/નો પસંદ કરો :
122) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠક સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ બેઠક સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ-ક્લોસ્ટર્સ ખાતે યોજાઈ હતી, જેની થીમ 'એ સ્પિરિટ ઓફ ડાયલોગ' હતી.
2. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
3. WEF દ્વારા ભારતના આંધ્ર પ્રદેશમાં 'સેન્ટર ફોર એનર્જી એન્ડ સાઇબર રેઝિલિયન્સ' સ્થાપવાનો નિર્ણય લેવાયો છે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં વિધાનો સાચાં છે ?
123) ઓડિશામાં સ્થપાયેલા દેશના પ્રથમ અત્યાધુનિક ફલેટ રોલ્ડ પ્રોડકટ્સ (FRP) પ્લાન્ટ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પ્લાન્ટ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંબલપુરના લાપંગા ખાતે સ્થાપિત કરાયી છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ માટે કાચા માલની જરૂરિયાત પૂરી કરવાનો છે.
3. આ પ્લાન્ટ 50 GWh સુધીની સેલ ઉત્પાદનક્ષમતાને સપોર્ટ કરી શકે છે.
125) ભારતના હાઇડ્રોકાર્બન ક્ષેત્ર અને તાજેતરમાં ખંભાતના અખાતમાં થયેલી શોધના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. 'અંબે-2A' બ્લોક પશ્ચિમ દરિયાકાંઠે કોમર્શિયલ ઉત્પાદન માટે તૈયાર થનારો પ્રથમ 'ડિસ્કવર્ડ સ્મોલ ફીલ્ડ' (DSF) છે.
2. આ શોધમાં વપરાયેલી ' સબ-સી ટેમ્પલેટ ટેક્નોલોજી' સમુદ્રના તળિયે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક ડ્રિલિંગ કરવામાં મદદ કરે છે.
૩. તારકેશ્વર ફોર્મેશન એ માત્ર લિગ્નાઇટના ભંડાર માટે જ જાણીતું ભૂસ્તરીય સ્તર છે.
4. કેયર્ન ઓઇલ એન્ડ ગેસ એ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની (Public Sector) તેલ કંપની છે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
127) ઇન્ડિયન ફામાંકોપોઇયા (IP) અને તેની તાજેતરની 10મી આવૃત્તિ અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. ઇન્ડિયન ફાર્માકોપોઇયાની 10મી આવૃત્તિ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ ના દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. તેની 10મી આવૃત્તિમાં કુલ મોનોગ્રાફની સંખ્યા વધીને 3,340 થઈ છે.
ઇન્ડિયન ફાકિોપોઇયા હાલમાં ગ્લોબલ સાઉથના 19 દેશોમાં 3. માન્ય છે.
ઉપરના વિધાનોમાંથી કર્યા સાચાં છે ?
128) રાણી વેલુ નાચિયાર વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. તેઓ 'વીરમંગાઈ (બહાદુર સ્ત્રી) તરીકે પણ ઓળખાય છે.
2. તેમણે માત્ર પુરુષી માટેની ખાસ લશ્કરી ટુકડી 'ઉડૈચાલ' બનાવી હતી.
3. તેઓ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ છેડનારાં અને વિજય મેળવનારાં પ્રથમ ભારતીય રાણી હતાં.
ઉપરના પૈકી કયાંર્યા વિધાનો સાચાં છે ?
129) INS અરિઘાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારતની બીજી અરિહંત-ક્લાસ પરમાણુ સંચાલિત સબમરીન છે.
2. તે K-4 બેલેસ્ટિક મિસાઈલનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
ઉપરના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાયાં છે ?
130) સેફગાર્ડ ડ્યૂટી (Safeguard Duty) અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. સેફગાર્ડ ડ્યૂટી એ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વપરાતું એક રક્ષણાત્મક પગલું છે.
2. ભારત સરકારે તાજેતરમાં ચીન જેવા દેશોમાંથી આવતાં સ્ટીલના ઉત્પાદનો પર આ ડયૂટી એપ્રિલ, 2028 સુધી લંબાવી છે.
3. આ ડયૂટી WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ના 'એગ્રીમેન્ટ ઓન સેફગાર્ડ્સ' હેઠળ માન્ય નથી.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
132) 'ઉત્તરાર્ધ' શબ્દ અને મહોત્સવના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ઉત્તરાયણ પછી જયારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેના મધ્ય ભાગને 'ઉત્તરાર્ધ' કહેવામાં આવે છે.
2. આ સમયગાળો શિયાળાની વિદાય અને લાંબા થતા દિવસોના સ્વાગતનું પ્રતીક છે.
૩. સૂર્યમંદિરની રચના એવી છે કે વર્ષમાં બે દિવસ સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં પડે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
133) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) - સૌરાષ્ટ્ર અને કચ્છ 2026ના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. આ કોન્ફરન્સનું આયોજન મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય ફોકસ ગુજરાતના વિઝન 2047ને એન્કર કરવાનું હતું.
2. આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગીદાર (Partner Countries) તરીકે ભૂમિકા ભજવી હતી.
૩. ભારતના નેચરલ ગેસ ગ્રીડમાં હાઇડ્રોજનના મિશ્રણ (Blending) માટે ભારતની નિયમનકારી સંસ્થા PNGRB એ જર્મનીના સંગઠન DVGW સાથે સમજૂતી કરાર (MoU) કર્યા.
4. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર ખાતે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની અને અદાણી ગ્રૂપ દ્વારા 37 GWના રિન્યૂએબલ એનર્જી પાર્કના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
134) PMGSYની ફન્ડિંગ પેટર્ન (નાણાકીય સહાય) બાબતે નીચેની વિધાનો ધ્યાને લો.
1. સામાન્ય રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્યનો ફાળો 60:40 ના પ્રમાણમાં હોય છે.
2. વિશેષ કેટેગરીનાં રાજ્યો માટે આ પ્રમાણ 90:10 હોય છે.
3. વિધાનમંડળ વગરના કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% ફન્ડિંગ કેન્દ્ર સરકાર આપે છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
137) ઉત્તરાર્ધ મહોત્સવ અને તેના આયોજન બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ મહોત્સવનું આયોજન વર્ષ 1992થી મોઢેરાના સૂર્યમંદિરમાં કરવામાં આવે છે.
2. આ મહોત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની 'ગુરુ-શિષ્ય પરંપરા'ને જીવંત રાખવાનો છે.
૩. તેનું આયોજન કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
ઉપરના પૈકી કયો વિધાનો સાચાં છે ?
138) તાજેતરની નિમણૂકો અને સંસ્થાઓ બાબતે કઈ જોડ સાચી છે ?
1. BSF ના ડિરેક્ટર જનરલ – પ્રવિણકુમાર
2. ITBP ના ડિરેક્ટર જનરલ - શત્રુજિતસિંહ કપૂર
3. NDRF ના ડિરેક્ટર જનરલ - પીયૂષ આનંદ
સાચો વિકલ્પ પસંદ કરો :
139) PMGSY ના અમલીકરણ અને દેખરેખ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત છે.
2. રાષ્ટ્રીય સ્તરે યોજનાનું અમલીકરણ નેશનલ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ એજન્સી (NRRDA) દ્વારા થાય છે.
ઉપરનામાંથી કયું/કયાં વિધાન સાચાં છે ?
140) 'કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ' (CBAM)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. CBAMનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપિયન યુનિયન (EU)માં આયાત થતી વસ્તુઓ પર તેમના ઉત્પાદન દરમિયાન થયેલા કાર્બન ઉત્સર્જનના આધારે કિંમત વસૂલવાનો છે.
2. આ મિકેનિઝમનો હેતુ 'કાર્બન લીકેજ' રોકવાનો છે, જેમાં કંપનીઓ કડક નિયમોથી બચવા પ્લાન્ટ્સ અન્ય દેશોમાં ખરોડે છે.
3. CBAMનો કાયમી તબક્કો 1 ઑક્ટોબર, 2023થી અમલમાં આવ્યો છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયા સાચાં છે ?
141) સુપર કમ્પ્યૂટર અને NSM વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતના 37મા સુપર કોમ્પ્યૂટર પરમ રુદ્રને C-DAC પૂણે દ્વારા સ્વદેશી 'રુદ્ર' સર્વર પર વિકસાવવામાં આવ્યું છે અને તેની સ્થાપના IIT પટના ખાતે કરવામાં આવી છે.
2. ભારતનું સૌ પ્રથમ સુપર કોમ્પ્યૂટર પરમ 8000 હતું, જે વર્ષ 1991માં ડો. વિજય ભટકરના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવ્યું હતું.
3. નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન (NSM)ની શરૂઆત એપ્રિલ, 2015માં ₹4,500 કરોડના ખર્ચે કરવામાં આવી હતી, જેનું અમલીકરણ C-DAC અને llSc બેંગ્લોર દ્વારા કરવામાં આવે છે.
4. NSM હેઠળ અત્યાર સુધીમાં કુલ 37 સુપર કમ્પ્યૂટર કાર્યરત થયાં છે, જેની કુલ ક્ષમતા 40 પેટાફ્લોપ્સ (PF) છે.
5. ગુજરાતમાં IIT ગાંધીનગર ખાતે 'PARAM અનંત' સુપર કોમ્પ્યૂટર કાર્યરત છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયર્યા વિધાનો સાચાં છે ?
143) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Istent' ઉપકરણ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તે ગ્લુકોમાની સારવાર માટે વપરાતું માઇક્રોસ્કોપિક ઉપકરણ છે.
2. તે કદમાં ચોખાના દાણા કરતા પણ નાનું હોય છે.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
145) ભારત-પાકિસ્તાન વચ્ચે ન્યુક્લિયર ફેસિલિટીની માહિતીની આપ-લે અંગે કયાં વિધાનો સાર્યા છે ?
1. જાન્યુઆરી, 2026માં બંને દેશોએ સતત 35મી વખત આ માહિતીની આપ-લે કરી છે.
2. આ માહિતીની આપ-લે 31 ડિસેમ્બર, 1988ના કરાર હેઠળ કરવામાં આવે છે.
3. બંને દેશો વચ્ચે પ્રથમ વખત યાદીની આપ-લે 1 જાન્યુઆરી, 1991ના રોજ થઈ હતી.
147) ગુજરાતમાં LNG-સંચાલિત ટ્રેનના સફળ પરીક્ષણ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પરીક્ષણ સાબરમતી-મહેસાણા સેક્શન વચ્ચે કરવામાં આવ્યું હતું.
2. આ ટ્રેન સંપૂર્ણપણે માત્ર LNG ઇંધણ પર જ ચાલે છે.
૩. આ ટેક્નોલોજી દ્વારા ડીઝલના વપરાશમાં લગભગ 40% સુધીનો ઘટાડો કરી શકાય છે.
148) રેર અર્થ ઓક્સાઇડ (REO) અને ભારતના ભંડારના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. ભારત 6.9 મિલિયન ટન REO ભંડાર સાથે ચીન અને બ્રાઝિલ પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે.
2. સમગ્ર વિશ્વમાં અંદાજે 900થી 1100 લાખ ટન રેર અર્થ રિઝર્વ હોવાનો અંદાજ છે.
3. અટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ (AMD)ના અંદાજ મુજબ ગુજરાતના છોટાઉદેપુરના અંબાડુંગરમાં 7.37 લાખ ટન REOનો જથ્થો રહેલો છે.
4. ભારત વિશ્વના કુલ રેર અર્થ ભંડારનો આશરે 15% હિસ્સો ધરાવે છે.
5. રેર અર્થનો જથ્થો મુખ્યત્વે દરિયાકિનારાની મોનાઝાઇટ રેતીમાં જોવા મળે છે.
ઉપરનાં પૈકી કેટલાં વિધાનો સાચાં છે ?
150) ભારતના પ્રથમ સ્વદેશી થ્રીડી-પ્રિન્ટેડ ઑટોમેટિક વેધર સ્ટેશન (AWS) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ સ્ટેશનનું નિર્માણ 'મિશન મૌસમ' હેઠળ કરવામાં આવ્યું છે.
2. આ AWS યુનિટ્સ સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ વિકસાવવામાં આવ્યા છે.
૩. તે પૂણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી (IITM) દ્વારા વિકસિત છે.
ઉપરનામાંથી કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)