ફેબ્રુઆરી 2026
51) પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજનાની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી.
2. આ યોજના હેઠળ પ્રથમ બાળક માટે ₹ 5,000ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
૩. બીજા બાળકના કિસ્સામાં, જો તે કન્યા સંતાન હોય તો જ * 6,000ની સહાય મળે છે.
4. વર્ષ 2022થી આ યોજના 'મિશન શક્તિ'ના 'સામર્થ્ય' પેટા-યોજના હેઠળ કાર્યરત છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
52) ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ (EO Payload) વિશે નીચેનામાંથી કર્યું વિધાન યોગ્ય છે ?
1. તે સેટેલાઇટનું સૌથી મહત્ત્વનું અંગ છે.
2. તે પૃથ્વીના હાઈ-રિઝોલ્યુશન ફોટા અને ડેટા લેવા માટે જવાબદાર છે.
61) 'જલ સેવા આકલન' (Jal Seva Aankalan)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પહેલ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા શરૂ કરવામાં આવી છે.
2. તે જલ જીવન મિશન (JJM) પોર્ટલ પર ગ્રામ પંચાયતની આગેવાની હેઠળનું એક ડિજિટલ ટૂલ છે.
૩. આ ટૂલનો મુખ્ય હેતુ બાહ્ય (Third-party) સર્વેક્ષણો પરની નિર્ભરતા વધારવાનો છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
63) માર્કેટ એક્સેસ સપોર્ટ (MAS) ઇન્ટરવેન્શન વિશે નીચેનામાંથી કયું/કયાં વિધાન સાચાં છે ?
1. MAS એ એક્સપોર્ટ પ્રમોશન મિશનની 'નિર્યાત પ્રોત્સાહન' પેટા-યોજનાનો ભાગ છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય MSMEની નિકાસમાં વધારો કરવો અને ટ્રેડ ફાઇનાન્સ સુધીની પહોંચ વધારવાનો છે.
67) આકાશ-NG (Akash-NG) મિસાઇલ સિસ્ટમ વિશે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તે સપાટીથી હવામાં પ્રહાર કરતી મધ્યમ અંતરની મિસાઇલ છે.
2. તેની રેન્જ અંદાજે 70 થી 80 કિમી. છે.
૩. તે સબસોનિક ઝડપે (Subsonic speed) ગતિ કરે છે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
68) તેલંગાણામાં ઉદ્ઘાટન કરાયેલ રેઇન્બો ટ્રાઉટ એક્વાકલ્ચર ફાર્મ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ભારતનું પ્રથમ ટ્રોપિકલ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ (RAS) આધારિત ફાર્મ છે.
2. રેઈન્બો ટ્રાઉટ સામાન્ય રીતે ગરમ પાણીમાં ઉછરતી માછલીની પ્રજાતિ છે.
3. RAS ટેક્નોલોજી દ્વારા પાણીનું તાપમાન, ઓક્સિજનનું સ્તર અને pH જાળવી શકાય છે.
નીચેનામાંથી ક્યાં વિધાનો ખોટાં છે ?
70) ઇન્ડિયન ફામાંકોપોઇયા કમિશન (IPC)ના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો.
1. IPC ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.
2. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
3. ભારત સરકારના આરોગ્ય સચિવ હોદ્દાની રૂએ (Ex-officio) ચેરમેન હોય છે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
71) ભારતીય સેનાના વર્ષ 2026ના વિઝન અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતીય સેનાએ વર્ષ 2026ને 'યર ઓફ ટેક્નોલોજી એબ્સોપ્શન' જાહેર કર્યું છે.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ એકીકરણને વેગ આપવો અને રિયલ-ટાઇમ નિર્ણય લેવાની પ્રક્રિયાને સક્ષમ બનાવવાનો છે.
૩. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2025ને 'યર ઓફ રિફોર્મ્સ' તરીકે જાહેર કર્યું હતું.
ઉપરનામાંથી કયાં વિધાન/વિધાનો સાચાં છે ?
73) ગુજરાતમાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો (DCCB)ની રચના બાબતે વિધાનો ધ્યાને લો.
1. નાબાર્ડની એપ્રોચ નોટ મુજબ ગુજરાતના 9 જિલ્લાઓમાં નવી DCCBની રચના કરવામાં આવશે.
2. આ નવી બેનકોની રચના જૂની બૅન્કોના વિભાજનથી થશે, જેમાં ખેડા બેન્કમાંથી આણંદ અને પંચમહાલ બેન્કમાંથી દાહોદ અલગ થશે.
૩. નવસારી અને ડાંગ જિલ્લા માટે સુરત બેન્કનું વિભાજન કરવામાં આવશે.
ઉપરના પૈકી કર્યા વિધાનો ખોટાં છે ?
78) સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અને જનરલ કેટેગરી અંગે અપાયેલી સ્પષ્ટતા મુજબ કયું વિધાન સાચું છે ?
1. જનરલ કેટેગરી એ ઓપન મેરિટ સિસ્ટમ છે, કોઈ ચોક્કસ જ્ઞાતિનો ક્વોટા નથી.
2. જો અનામત વર્ગનો ઉમેદવાર વયમર્યાદામાં છૂટછાટ લે છે, તો પણ તેને જનરલ કેટેગરીમાં બેઠક મળી શકે છે.
૩. જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધુ ગુણ મેળવનાર અનામત વર્ગનો ઉમેદવાર (જો કોઈ છૂટછાટ ન લીધી હોય) અનામતની બેઠક રોકશે નહીં.
79) CAG દ્વારા જાહેર કરાયેલ 'સ્ટેટ ફાઇનાન્સ 2023-2024' રિપોર્ટ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. નાણાકીય વર્ષ 2023-2024માં 28 રાજ્યોની કુલ મહેસૂલી આવકમાં 'રાજ્યની પોતાની કર આવક' (SOTR)નો હિસ્સો આશરે 50% હતો.
2. રાજ્યોના કુલ ખર્ચમાં મૂડી ખર્ચ (Capital Expenditure)નો હિસ્સો 80%થી વધુ છે.
3. 15મા નાણાપંચ દ્વારા નિર્ધારિત GSDP ના 3%ની રાજકોષીય ખાધની મર્યાદાનું 18 રાજ્યોએ ઉલ્લંઘન કર્યું છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કર્યા સાચાં છે ?
80) 'SWaDeS' પોર્ટેબલ વૉટર પ્યુરિફિકેશન સિસ્ટમ અંગે નીચેનાં વિધાનો તપાસો,
1. તેનું પૂરું નામ 'સીવોટર ડીસેલિનેશન સિસ્ટમ' છે.
2. તે ડિફેન્સ લેબોરેટરી જોધપુર (DLI) અને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.
3. આ સિસ્ટમ પાણીની ખારાશને 35,000 મિગ્રા/લિટર TDSથી ઘટાડીને 500 મિગ્રા/લિટરથી નીચે લઈ આવે છે.
4. તેનો મેન્યુઅલ વેરિએન્ટ 20-25 સૈનિકો માટે પાણી શુદ્ધ કરી શકે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
81) તુર્કમેનિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીના તાજેતરના કાયદાના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. તુર્કમેનિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ એસેટ્સ અથવા પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
2. આ નવા કાયદા હેઠળ ક્રિપ્ટોકરન્સીને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી છે.
3. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વસ્તુઓ અથવા સેવાઓની રોજિંદી ચુકવણી માટે કરી શકાશે નહીં.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
83) જમ્મૂ-કાશ્મીરની 'કલાડી' પ્રોડક્ટ વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. કલાડી એ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની GI -ટેગ ધરાવતી પરંપરાગત ડેરી પ્રોડક્ટ છે.
2. તેના દૂધિયા સ્વાદને કારણે તેને 'જમ્મુની મોઝેરેલા' તરીકે ઓળખવામાં આવે છે.
3. સરકારના 'વન નેશન વન પ્રોડકટ’ ફ્રેમવર્ક હેઠળ તેનું સાયન્ટિફિક અપસ્કેલિંગ કરવામાં આવશે.
ઉપરના પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
85) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સબમરીન સફર બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તેઓ સબમરીન સોર્ટી કરનારા બીજા ભારતીય રાષ્ટ્રપતિ બન્યાં છે.
2. તેમણે INS વાગશીર સબમરીન પર સફર કરી હતી.
3. આ પહેલાં વર્ષ 2006માં એ. પી. જે. અબ્દુલ કલામે સબમરીન સોર્ટી કરી હતી.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
86) સુબનસિરી લોઅર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (LEP) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ભારતનો સૌથી મોટો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ છે.
2. તે રન-ઓફ-ધ-રિવર (Run-of-the-River) પ્રકારનો પ્રોજેક્ટ છે.
3. તે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) દ્વારા વિકસાવવામાં આવ્યો છે.
4. આ પ્રોજેક્ટમાં ઉત્તર-પૂર્વ ભારતનો સૌથી મોટો ડેમ (116 મીટર ઊંચો) સામેલ છે.
કયાં વિધાનો સાચાં છે ?
87) ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) અને FSRના સંદર્ભમાં નીચેનાં વિધાનો તપાસો.
1. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR) વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે.
2. FSDC કાઉન્સિલના વડા RBIના ગવર્નર હોય છે.
3. FSDCની પેટા-સમિતિના વડા કેન્દ્રીય નાણાં મંત્રી હોય છે.
ઉપરનાં વિધાનોમાંથી કયાં ખોટાં છે ?
88) 'ASC ARJUN' અને મિલિટરી ક્વૉન્ટમ મિશન પોલિસી અંગે નીચેનાં વિધાનો ચકાસો.
1. 'ASC ARJUN' એ ભારતીય રેલવેનો પ્રથમ AI સંચાલિત હ્યુમનોઇડ રોબોટ છે, જે વિશાખાપટ્ટનમાં મુકાયો છે.
2. ક્વોન્ટમ ટેક્નોલોજીના ચાર સ્તંભોમાં ક્વોન્ટમ કમ્યુનિકેશન અને સેન્સિંગનો સમાવેશ થાય છે.
3. દર વર્ષે 14 એપ્રિલના રોજ “વર્લ્ડ ક્વોન્ટમ ડે” ઊજવવામાં આવે છે.
ઉપરનાં પૈકી સાચાં વિધાનો કયાં છે ?
89) રોલ બોલ રમત અને વર્લ્ડ કપ 2025 બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. સાતમા રોલ બોલ વર્લ્ડ કપમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા છે.
2. રોલ બોલ રમત એ રોલર સ્કેટિંગ, બાસ્કેટબોલ અને ક્રિકેટનું મિશ્રણ છે.
3. આ રમતની શરૂઆત ભારતમાં રાજુ દાભાડે દ્વારા કરવામાં આવી હતી.
ઉપરનાં પૈકી કર્યા વિધાનો સાચાં છે ?
90) 'પેમ્બા ઇફેક્ટ' (mPemba effect) વિશે નીચેના વિધાનો પર વિચાર કરો.
1. આ ઇફેક્ટ મુજબ, ચોક્કસ પરિસ્થિતિમાં ગરમ પાણી ઠંડા પાણી કરતાં વધુ ઝડપથી થીજી જાય છે.
2. તાજેતરમાં JNCASRના ભારતીય વૈજ્ઞાનિકોએ તેને કેપ્ચર કરવા સુપરકમ્પ્યૂટર-સંચાલિત સિમ્યુલેશન વિકસાવ્યું છે.
3. આ અસર માત્ર પાણી પૂરતી જ મર્યાદિત છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
91) ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તાજેતરમાં રાજસ્થાનના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યને ESZ જાહેર કરવામાં આવ્યું છે.
2. કેન્દ્ર સરકાર દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ ESZ જાહેર કરવામાં આવે છે.
3. ESZ એ સંરક્ષિત જંગલો અને માનવ વસાહતો વચ્ચે “શોક એબ્સોર્બર” તરીકે કામ કરે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
94) તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. ગ્રીનલેન્ડ વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
1. હાલમાં તે ડેનમાર્કનો એક સવાયત્ત પ્રાંત છે.
2. ગ્રીનલેન્ડનો આશરે 80% વિસ્તાડ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે.
3. તેની રાજધાની અને સૌથી મોટું શહેર નુઉક છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
95) 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. પ્રજાસત્તાક દિવસ 2026ની મુખ્ય થીમ 'વંદે માતરમ્’નાં 150 વર્ષ હતી.
2. યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
3. કર્તવ્યપથ પર રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોની થીમ ‘દેવ ભૂમિ, વીર ભૂમિ' હતી.
ઉપરનાં વિધાનો પૈકી કયાં વિધાનો ખોટાં છે.
100) સાણંદ ખાતે સ્થપાનારા સેટેલાઇટ પ્લાન્ટ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ દેશનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ પ્લાન્ટ છે જે સાણંદના ખોરાજ ખાતે સ્થાપવામાં આવી રહ્યો છે.
2. આ પ્લાન્ટ અઝિસ્ટા સ્પેસ (Azista Space) કંપની દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે.
3. આ પ્લાન્ટમાં મુખ્યત્વે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ (EO Payload) ઉત્પાદન થશે.
ઉપરોક્ત પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Comments (0)