મે 2026
1) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તાજેતરમાં સાધ્વી નિરંજન જ્યોતિની NCBCના ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
2. 102મા બંધારણીય સુધારા અધિનિયમ, 2018 દ્વારા NCBCને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે.
3. બંધારણના અનુચ્છેદ 338B હેઠળ આ આયોગની રચના કરવામાં આવી છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
2) માતૃત્વ રજા અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો.
1. દત્તક લેનારી માતાઓ બાળકની ઉંમર ગમે તે હોય, 12 અઠવાડિયાની પ્રસૂતિ રજા માટે હકદાર છે.
2. કોર્ટે ‘સામાજિક સુરક્ષા સંહિતા, 2020’ની કલમ 60(4)ને ગેરબંધારણીય જાહેર કરી છે.
3. આ ચુકાદા મુજબ, માતૃત્વનો અધિકાર બંધારણના અનુચ્છેદ 14 અને 21 હેઠળ સુરક્ષિત છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
3) ‘ફ્લોટિંગ લિડાર બોઈ’ (Floating LiDAR Buoy) સિસ્ટમ બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ સિસ્ટમનું સફળ પરીક્ષણ NIOT દ્વારા તામિલનાડુના કન્યાકુમારી નજીક કરવામાં આવ્યું છે.
2. LiDAR ટેક્નોલોજી લેસર કિરણોનો ઉપયોગ કરીને પવનની ગતિ અને દિશા માપે છે.
3. આ સિસ્ટમ સમુદ્રની સપાટીથી મહત્તમ 100 મીટરની ઊંચાઈ સુધીનો ડેટા એકત્રિત કરી શકે છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
5) ભારતનું પ્રથમ ‘પોર્ટ ઓફ રેફ્યુજ’ (PoR) નીચેનામાંથી કયાં બંદરો પર કાર્યરત કરવામાં આવ્યું છે ?
દિઘી બંદર (મહારાષ્ટ્ર)
ગોપાલપુર બંદર (ઓડિશા)
મુન્દ્રા બંદર (ગુજરાત)
સાચો વિકલ્પ પસંદ કરો :
8) ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. આ યોજનાનો સમયગાળો નાણાકીય વર્ષ 2026-27થી 2031-32 સુધીનો છે.
2. આ યોજના હેઠળ પ્રોજેક્ટ્સની પસંદગી ‘ચેલેન્જ મોડ’ દ્વારા કરવામાં આવશે.
3. પૂર્વોત્તર અને પહાડી વિસ્તારો માટે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સનું લઘુતમ કદ 100 એકર હોવું અનિવાર્ય છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
9) ભારતના મેટ્રો નેટવર્ક વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. ભારત હાલમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ છે.
2. ભારતમાં વર્ષ 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો હતી, જે 2026માં વધીને 29 શહેરોમાં થઈ છે.
3. ભારતનું કુલ કાર્યરત મેટ્રો નેટવર્ક 1,143 કિલોમીટરથી વધુ છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
15) ‘વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2026’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ચકાસો.
1. ફિનલેન્ડે સતત 9મા વર્ષે વિશ્વના સૌથી સુખી દેશ તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો છે.
2. આ રિપોર્ટની મુખ્ય થીમ ‘હેપ્પીનેસ એન્ડ ઇકોનોમિક ગ્રોથ’ રાખવામાં આવી છે.
3. આ રિપોર્ટમાં ભારત 116મા ક્રમે રહ્યો છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
17) ‘એન્ટીપ્રોટોન’ અને CERNના પ્રયોગ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. CERNના વૈજ્ઞાનિકોએ પ્રથમવાર રોડ માર્ગે એન્ટીપ્રોટોનનું સફળ પરિવહન કર્યું છે.
2. એન્ટીપ્રોટોન એ પ્રોટોન જેવો જ ધન વીજભાર ધરાવતો કણ છે.
3. ભારત CERNનો સહયોગી સભ્ય (Associate Member) દેશ છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
18) વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (WIAC) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. વર્ષ 2028માં ભારત પ્રથમવાર WIACની યજમાની ઓડિશાના ભુવનેશ્વરમાં કરશે.
2. ભારત આ ઇવેન્ટની યજમાની કરનાર પ્રથમ એશિયન દેશ બનશે.
3. આ ચેમ્પિયનશિપ દર બે વર્ષે યોજાતી ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
19) તાજેતરમાં મંજૂર કરાયેલ ‘સ્મોલ હાઇડ્રો પાવર (SHP) ડેવલપમેન્ટ સ્કીમ’ બાબતે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં 1500 MW ક્ષમતાના પ્રોજેક્ટ્સ સ્થાપવાનો છે.
2. આ યોજના હેઠળ 1થી 50 મેગાવોટની ક્ષમતા ધરાવતા નાના હાઇડ્રો પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવશે.
3. આ યોજનાનું અમલીકરણ ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલય (MNRE) દ્વારા કરવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
20) નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (NPC) બાબતે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. NPC હવે એન્વાયર્ન્મેન્ટ ઓડિટ ડેઝિગ્નેટેડ એજન્સી (EADA) તરીકે કાર્ય કરશે.
2. આ સંસ્થા કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.
3. NPCની સ્થાપના વર્ષ 1958માં કરવામાં આવી હતી.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
21) મહાડ સત્યાગ્રહ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. 20 માર્ચ, 2026ના રોજ આ સત્યાગ્રહના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત થઈ હતી.
2. ડો. બી. આર. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આ આંદોલનની સ્મૃતિમાં 20 માર્ચને ‘સામાજિક સશક્તિકરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
3. વર્ષ 1923માં એસ. કે. બોલેએ બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જાહેર જળ સ્ત્રોતો દલિતો માટે ખુલ્લા મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
22) ‘ફેર સે ફુરસત — વન રૂટ વન ફેર’ સ્કીમ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
2. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદગીના પ્રાદેશિક રૂટ પર નિશ્ચિત અને સસ્તું હવાઈ ભાડું પૂરું પાડવાનો છે.
3. આ યોજનાનું સંચાલન ખાનગી એરલાઇન દ્વારા કરવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
23) ભારતનું પ્રથમ ‘મિથેનોલ ડ્યુઅલ-ફ્યુઅલ’ જહાજ (PSV) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેનું નિર્માણ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) વચ્ચેના કરાર હેઠળ થશે.
2. આ જહાજ માત્ર ગ્રીન મિથેનોલ પર જ ચાલી શકશે.
3. આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) સાથે સુસંગત છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
24) ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટેની નવી પાત્રતા નીતિ (Eligibility Policy) બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ નીતિ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. આ નીતિ મુજબ મહિલા કેટેગરીમાં ભાગ લેવા માટે ‘SRY’ જીન સ્ક્રીનિંગ ફરજિયાત છે.
3. આ નીતિ આગામી પેરિસ ઓલિમ્પિક 2024થી અમલમાં આવશે.
સાચો વિકલ્પ પસંદ કરો :
Comments (0)