મે 2026
103) મહાડ સત્યાગ્રહ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. 20 માર્ચ, 2026ના રોજ આ સત્યાગ્રહના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત થઈ હતી.
2. ડો. બી. આર. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આ આંદોલનની સ્મૃતિમાં 20 માર્ચને ‘સામાજિક સશક્તિકરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
3. વર્ષ 1923માં એસ. કે. બોલેએ બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જાહેર જળ સ્ત્રોતો દલિતો માટે ખુલ્લા મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
107) ‘ફેર સે ફુરસત — વન રૂટ વન ફેર’ સ્કીમ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ યોજના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
2. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદગીના પ્રાદેશિક રૂટ પર નિશ્ચિત અને સસ્તું હવાઈ ભાડું પૂરું પાડવાનો છે.
3. આ યોજનાનું સંચાલન ખાનગી એરલાઇન દ્વારા કરવામાં આવશે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
110) ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026’ અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ નિયમો પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે.
2. નવા નિયમો વર્ષ 2016ના નિયમોનું સ્થાન લેશે.
3. આ નિયમોમાં સ્ત્રોત પર જ કચરાના 6-પ્રવાહમાં વિભાજનને અનિવાર્ય બનાવવામાં આવ્યું છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
111) તાજેતરમાં ચર્ચિત 'OPEC' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તેનું પૂરું નામ 'Organization of the Petroleum Exporting Countries' છે.
2. OPECમાં વર્તમાન 11 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. તથા તે અન્ય 10 સંલગ્ન મુખ્ય તેલ ઉત્પાદકો દેશો સાથે OPEC + તરીકે ઓળખાય છે.
3. આ સંસ્થાનો ઉદ્દેશ તેના સભ્ય દેશોની પેટ્રોલિયમ નીતિઓનું સંકલન કરવાનો છે.
4. તેનું વડું મથક ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આવેલું છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
113) APEDAના સંદર્ભમાં નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. તેનું પૂરું નામ 'એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી' છે.
2. તે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.
3. તેનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત ઉત્પાદનોના નિકાસને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાનો છે.
4. તેને ખાંડની આયાત પર દેખરેખ રાખવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
114) ભારતીય રિઝર્વ બેંક (RBI)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેની સ્થાપના હિલ્ટન યંગ કમિશનની ભલામણોના આધારે કરવામાં આવી હતી.
2. RBIની સ્થાપના 1 એપ્રિલ, 1935ના રોજ RBI અધિનિયમ, 1934 હેઠળ થઈ હતી.
3. સ્થાપના સમયે તેનું વડું મથક મુંબઈ ખાતે હતું, જે પાછળથી કોલકાતા ખસેડવામાં આવ્યું હતું.
4. વર્ષ 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
115) ભારતનું પ્રથમ ‘મિથેનોલ ડ્યુઅલ-ફ્યુઅલ’ જહાજ (PSV) અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તેનું નિર્માણ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) વચ્ચેના કરાર હેઠળ થશે.
2. આ જહાજ માત્ર ગ્રીન મિથેનોલ પર જ ચાલી શકશે.
3. આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) સાથે સુસંગત છે.
ઉપરનાં પૈકી કયાં વિધાનો સાચાં છે ?
116) ઓલિમ્પિક સ્પોર્ટ્સ માટેની નવી પાત્રતા નીતિ (Eligibility Policy) બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ નીતિ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. આ નીતિ મુજબ મહિલા કેટેગરીમાં ભાગ લેવા માટે ‘SRY’ જીન સ્ક્રીનિંગ ફરજિયાત છે.
3. આ નીતિ આગામી પેરિસ ઓલિમ્પિક 2024થી અમલમાં આવશે.
સાચો વિકલ્પ પસંદ કરો :
Comments (0)